________________
૨૮૦.
vશાવબોધ મોક્ષમાળા
પ્રશ્ન : શુદ્ધ ઉપયોગને ધર્મ કહેવાનું કારણ શું? ઉત્તર : વત્થસદાવો ધબ્બો | આત્માનો-વસ્તુનો સ્વભાવ તે ધર્મ અને
આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વભાવમાં વર્ષે તે જ શુદ્ધોપયોગ. એટલે
શુદ્ધોપયોગ એ જ ધર્મ છે. પ્રશન : અશુદ્ધ ઉપયોગને કર્મ કહેવાનું કારણ શું? ઉત્તર : આત્મા શુદ્ધ જ્ઞાયક ભાવ છોડી રાગાદિથી શેયમાં કરૂંવાદિ
ભાવે પરિણમે, એ જ અશુદ્ધ ઉપયોગ હોઈ કર્મ છે. પ્રશ્ન : ધર્મ અને ચારિત્રમાં કંઈ ફેર ખરો? ઉત્તર : કંઈ પણ નહિ. ધર્મ એ જ ચારિત્ર છે, ને ચારિત્ર એ જ ધર્મ છે. પ્રશ્ન : તે કેવી રીતે? ઉત્તર : સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર; અને ધર્મ એટલે સમ અથવા શમ,
અર્થાત્ “મોહ ક્ષોભ વિહીન આત્માનો પરિણામ તે સમ,” (કુંદકુંદાચાર્યજી) અથવા સ્વરૂપમાં શમાવું તે શમ. આમ ધર્મ,
ચારિત્ર, સમ અને શમ એ સર્વ એક જ છે. પ્રશ્ન : ધર્મ અને કર્મમાં શો ફેર? ઉત્તર : સ્વભાવ તે ધર્મ અને વિભાવ તે કર્મ. અર્થાત્ આત્મા જ્ઞાન
દર્શન-ચારિત્રમય આત્મસ્વભાવમાં વર્ષે તે ધર્મ અને રાગ
લેષ-મોહરૂપ વિભાવ કર્મમાં વર્તે તે અધર્મ. (દોહરા) શુદ્ધોપયોગે ચેતના, પરિણમે તો મોક્ષ,
અશુદ્ધોપયોગે ચેતના, પરિણમે ભવદોષ. આત્મા આત્મસ્વભાવમાં, વર્તે તેહ જ ધર્મ; રાગાદિક વિભાવમાં, વર્તે તે જ અધર્મ,