________________
૨૭૮
પ્રશાવબોધ મોક્ષમાળા
પ્રશ્ન : ઔદયિક ભાવ કયા? ઉત્તર : ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયત,
અસિદ્ધત્વ, વેશ્યા ૬,-એમ એકવીસ. પ્રશ્ન : પારિણામિક ભાવ કયા? ઉત્તર : જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ. (આદિ એટલે
અસ્તિત્વ, નિત્યત્વ આદિ જે અન્ય દ્રવ્યોમાં પણ સમાન
છે.) આમ પ૩ ભાવ તે જીવનું સ્વતત્ત્વ છે. (દોહરા) મૂળમાર્ગ શ્રી જિનતણો, ચારિત્ર દર્શન જ્ઞાન;
મૂળમાર્ગનું મૂળ પણ, સમ્યગદર્શન જાણ.
शिक्षापाठ १०२ : हितार्थी प्रश्नो} भाग २ પ્રશ્ન : જીવત્વ એ પારિણામિક ભાવ છે એટલે શું? ઉત્તર : જીવત્ત્વ એટલે ચેતનત્વ. ચેતના એ જ જીવનું પરિણામ હોય.
જીવ-ચેતન, ઔપશમિકાદિ કર્મજનિત ભાવો મળે પણ, શુદ્ધ કે અશુદ્ધ આ ચેતના પરિણામ કદી પણ ચૂકે નહિ. “ચેતનતા
પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે” (શ્રી આનંદઘનજી) . પ્રશ્ન : ચેતના કેટલા પ્રકારની ? ઉત્તર : જ્ઞાનચેતના અને અજ્ઞાનચેતના. તેમાં અજ્ઞાન ચેતના બે
પ્રકારની-કર્મચેતના અને કર્મફલચેતના. પ્રશ્ન : જ્ઞાનચેતના ને અજ્ઞાનચેતનાનો અર્થ શો? ઉત્તર : હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું એવું ચેતન-સંવેદન તે જ્ઞાનચેતના;
જ્ઞાનસ્વરૂપ આત્મા સિવાય આ હું છું એવું ચેતન-વેદન તે
અજ્ઞાનચેતના. . પ્રશ્ન : કર્મચેતના ને કર્મફલચેતનાનો અર્થ શો ? ઉત્તર : જ્ઞાન સિવાયનું આ શું કરું છું એવું ચેતન તે કર્મચેતના; અને
જ્ઞાન સિવાયનું આ હું વેદું છું એવું ચેતન તે કર્મફલચેતના.