________________
૨ ૩૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(દોહરા) મન ઇંદ્રિય સાપેક્ષ છે, પરોક્ષ મતિ શ્રુતજ્ઞાન;
આત્મપ્રત્યક્ષ અવધિ મન:- પર્યવ કેવલ જ્ઞાન.
જ્યાં જ્યાં જ્ઞાન પ્રકાશથી, મોહતિમિરનો નાશ; ત્યમ ત્યમ ઉન્મત્તતા ત્યજી, પ્રગટે આત્મવિકાસ.
शिक्षापाठ ८५ : उन्मत्तता જ્યાંલગી જ્ઞાનપ્રકાશ સાંપડ્યા નથી, ત્યાંલગી જીવ મહઅંધકારમાં ગોથાં ખાય છે ને ઉન્મત્તની જેમ વર્તે છે. શ્રી ભર્તુહરિનું વચન છે કે “પીવા મોદમયીમિમાં ૨ મહિનામુન્નીમૂત નતિ '' આ મોહમયી મદિરા પીને આ જગત ઉન્મત્ત (ગાંડું-પાગલ) થઈ ગયું છે. કારણ કે સ્વરૂપથી પ્રમત્ત થયેલું જગત મોહમદિરાથી મત્ત બની, પરભાવમાં અહંભાવરૂપ મદ ધરે છે ને તેનો ફાંકો રાખી છાકીને ફરે છે! મદ્યપાનથી મદ ચઢેલા મનુષ્યની જેમ પોતાનું આત્મભાન ભૂલી ઉન્મત્ત પ્રલાપ કરે છે અને અસમંજસ આચરણ કરી સ્વરૂપથી ચૂકે છે. જ્ઞાન અંતરૂપરિણામી થયું નથી, અંતરનો મોહ છૂટયો નથી, ‘સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન' જાણ્યું નથી, અને એવી અમોહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, એવા શુષ્કજ્ઞાની જનો ભલે ઉન્મત્તની જેમ મુખેથી વાચા જ્ઞાન' દાખવે કે હમ જ્ઞાની હૈ, બંધેલા જ નહિ તો મુકત કૈસે હોવે? તોપણ તે તો તેઓનો જ્ઞાનના અજીર્ણરૂપઅપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ જ છે.
આત્મસ્વરૂપના અજ્ઞાનથી જ જીવ પરભાવમાં મુંઝાઈ મોહ પામે છે; અને પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપે આ મોહને લીધે જ આ જીવ રાગદ્વેષ કરે છે. આ મોહ-રાગ-દ્વેષ એ ત્રિદોષ જ જીવનો મોટામાં મોટો ઉન્મત્તપણાનો રોગ છે. ત્રિદોષ સન્નિપાતનો રોગી જેમ પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પોતાનું તે પારકું ને પારકું તે પોતાનું એવું યદ્રાવદ્રા અસમંજસ બોલે છે, ટુંકામાં જાણે બદલાઈ ગયો હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીત પાર્ગ