________________
૨૧ ૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
૧૦. ઉદયાગત પ્રકૃતિના ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ થઈ શકે નહિ, સત્તાગત પ્રકૃતિના જ થઈ શકે.
૧૧. ઉદયાગત પ્રકૃતિની ઉદીરણા ન હોય, ઉદયમાં નહિ આવેલી પ્રકૃતિની ઉદીરણા હોય.
૧૨. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ‘ઉપશમ ભાવમાં હોઈ શકે જ નહિ, ક્ષયોપશમ ભાવે જ હોય. એ પ્રકૃતિ જે ઉપશમ ભાવે હોય તો આત્મા જડવત્ થઈ જાય.'
૧૩. સર્વ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પ્રકટે છે, એટલે સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય.
૧૪. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ કર્મની ૧૫૮ પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિ સમ્યકત્વ આવ્યા વિના મૂળથી ક્ષય પામતી નથી. પણ ‘સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. કારણકે અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે.'
૧૫. યુજનકરણનો ક્ષય ગુણકરણ વડે કરી શકાય છે. કર્મપ્રકૃતિનું યુજન કરવું તે યુજનકરણ, અને આત્મગુણનું ગુણન કરવું તે ગુણકરણ. અર્થાત્ જ્ઞાન તે આત્મગુણ છે; આ જ્ઞાનગુણ વડે કરીને દર્શનગુણની વૃદ્ધિ કરવી, ને દર્શનગુણ વડે કરીને ચારિત્રગુણની વૃદ્ધિ કરવી તે ગુણકરણ ગુણાકાર (Multiplication). આમ આત્મગુણની વૃદ્ધિરૂપ ગુણકરણ વડે કરીને કર્મથું જનરૂપ મુંજનકરણનો ભંગ (ક્ષય) થાય છે. “યુંજનકરણે હો વિરહ તુજ પડયો, ગુણકારણે કરી ભંગ.” તાત્પર્ય કે- સમ્યગુદર્શન-જ્ઞાનાદિ આત્મગુણની વૃદ્ધિ કરવી એ જ કર્મક્ષયનો ઉપાય છે, મોક્ષનો હેતુ છે.
ભવ્યો! વિષમ આ સંસાર, ભવ્યો! ભીષણ આ સંસાર; કર્મનિયમથી ચાલી રહ્યો છે, વિચિત્ર આ સંસાર ... ભવ્યો. મોહ ધીવરે અહીં બીછાવી, કર્મ પ્રપંચી જાલ; જીવ મીનને લલચાવીને, આપે દુ:ખ કરાલ ... ભવ્યો.