________________
સૂક્ષ્મ તત્ત્વ પ્રતીતિ
આ સનાતન ધર્મ જે કોઈ મુમુક્ષુ સાધે છે, આરાધે છે, ઉપાસે છે, તે જ મોક્ષ પામે છે. આ ‘જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વો!' (દોહરા) વસ્તુ સનાતન આત્મ છે, વસ્તુ સ્વભાવ જ ધર્મ; આત્મસ્વભાવે વર્તવું, તે જ આત્મધર્મ જ સનાતનો, તે જ તે જ યોગિનો ધર્મ છે, તે જ
સનાતન ધર્મ. જિનનો ધર્મ; વિશ્વનો ધર્મ.
૨૦૩
शिक्षापाठ ७६ : सूक्ष्म तत्त्व प्रतीति
આત્માનો સનાતન ધર્મ સમજીને તે પામવા માટે આત્મા અને તેના બંધમોક્ષની વ્યવસ્થાનું સૂક્ષ્મ તત્ત્વ સમજવા યોગ્ય છે. “બંધાનારો એવો આત્મા અને બાંધનારૂં એવું કર્મબંધન' એ બન્ને જો પરમાર્થસત્ એવી મુખ્ય નિરુપચરિત વસ્તુ હોય, તો જ બંધમોક્ષ વ્યવસ્થા ઘટે, નહિ તો કલ્પનામાત્ર થઈ પડે. અને આ બંધ છે તે કનકોપલની જેમ પ્રવાહથી અનાદિ છે; તેનું કૃતકપણું-કૃત્રિમપણું છતાં, અતીત કાલની અપરાપર ક્ષણની જેમ અનુબંધથી તેનું અનાદિમંતપણું ઘટે છે. આ કર્મબંધ બે પ્રકારે છે : જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલપરમાણુરૂપ તે દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષ-મોહ એ અશુધ્ધ આત્મપરિણામ તે ભાવકર્મ. આ ભાવકર્મ-દ્રવ્યકર્મનો પરસ્પર કાર્યકારણ સંબંધ છે.
આ “બંધના હેતુઓ હિંસાદિ છે ને મોક્ષના હેતુઓ અહિંસાદિ છે. આ હિંસા–અહિંસાદિ પણ પરિણામી અને દેહથી ભિન્નાભિન્ન આત્મામાં જ ઘટે છે,– અન્યથા પ્રકારે નહિં.” (ધર્મબિન્દુ) કારણકે (૧) અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ એવો એકાંત નિત્ય જ આત્મા માનવામાં આવે, તો પૂર્વ સ્વરૂપથી અવસ્થાંતરપ્રાપ્તિના અભાવે હિંસાનો અસંભવ થશે. તેમજ એકાંતે અનિત્ય આત્મામાં પણ અન્યદ્વારા અહિંસનને લિધે હિંસાનો અસંભવ થશે; ત્યાં પછી કોણ કોનો હિંસક વા કોણ કોનો હિંસ્ય? આમ એકાંત નિત્ય કે એકાંત