________________
વીતરાગ વાણી
વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ;
ઔષધ જે ભવ રોગના, કાયરને પ્રતિકૂળ.
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા;
નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.
卐
શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જ્વલ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથના પવિત્ર વચનોની મને-તમને
ત્રિકાળ શ્રદ્ધા રહો! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના.
5
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી,
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ,
તારિણી ભવાબ્ધિ મોક્ષયારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ,
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજ્યચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
(૧૬)
श्रीमद राजचंद्र