________________
समर्पण
‘ચંદ્ર પ્રભુ મુખ ચંદ રે સખી! દેખણ દે'- એ રાગ જે ધર્મમૂર્તિ સંત જ્ઞાનાવતારે રે, સૂચિત સંકલના સૂચિ અનુસાર રે; દાસ ભગવાને ગુરુકુપા આધારે રે, ગ્રંથ ગૂંચ્યો છે એહ આજ્ઞાનુસારે રે... જે ધર્મમૂર્તિ ૦ કૃતિઓ જે સુકૃતી તણી જ જયંતિ રે, કીર્તિ કૌમુદી વિસ્તારતી જયવંતી રે; આત્મકળા સોળે કળા વિકસતી રે, શાંત સુધારસ ધારને વરવંતી રે... જે ધર્મમૂર્તિ ૦ આત્માર્થ અમૃતપાન જેણે બોધ્યું રે, સત્ ધર્મનું સત્ તત્ત્વ જેણે શોધ્યું રે; તે રાજચંદ્ર કરાન્જમાં ઉલ્લાસે રે, ગ્રંથ સમપ્ય એહ ભગવાન દાસે રે... ધર્મમૂર્તિ ૦
કાર્તિક પૂર્ણિમા, સં. ૨૦૦૮
भगवानदास
(૧૫)