________________
શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા .ને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો; જિનવર કહે છે શાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫
શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત જેણે આત્માને જાણ્યો છે એટલે જે રીતે અનેક ભેદે શાસ્ત્રમાં જ્ઞાનનું વર્ણન છે, તે જ રીતે જેણે તે સાક્ષાત્ અનુભવ કર્યો છે, તે જ્ઞાની છે. તે અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સર્વાર્પણપણે તેવા જ્ઞાનીને આશ્રયે તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે જ્ઞાન થશે. તે ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષમાર્ગમાં છે તેથી આશ્રયે વ્રત પચખાણ કર્યાં હોય તે પણ મોક્ષે લઈ જાય. ખરો આશ્રયભાવ અને અર્પણતા જોઈએ. સમ્મતિતર્ક આદિ શાસ્ત્રોમાં આ વાત જણાવી છે.
આઠ સમિતિ જાણીએ જા, જ્ઞાનીના પરમાર્થથી, તો શાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬
૩૨