SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મારો સફળ થયો અવતાર ધર્મનો છાંટો હોય, ભૂલે ચુકે એનું નામ સ્મરણ કે આચરણ કરેલું હોય, તો એ અવશ્ય ધારક બને છે. મૂંઝાયેલી મતિમાં મિત્ર બને છે. આત્માર્થીએ સાધના માટે વ્રત લેવા જરૂરી છે. પ્રાથમિક મોટકા વ્રત લેવાથી શરૂઆત કરવી. - પરમેષ્ઠિને કરાતા નમસ્કારમાં એક એવી અજોડ તાકાત છે કે એથી પાપની બાદબાકી થાય છે. પુણ્યનું ગુણાકાર થાય છે. અને ખાસ વિશિષ્ટતા એ છે કે એથી ભવચ્છેદ થાય છે અને મુક્તિ નજદીકમાં લાવે છે. શ્રાવકનાં બાર વ્રત જૈનના કોઈપણ ગચ્છ સંપ્રદાય કે પંથને આ વ્રત લેવાનું સ્વીકાર્ય છે એટલું જ નહીં પણ શીવ, બુદ્ધ, વેદાંત કે અન્ય મતવાદીઓ સુદ્ધાં આ વ્રતોમાં રહેલા તત્વોને બીરદાવે છે. સાત વ્યસન નરકના કારણભૂત છે. (૧) જુગાર (સટો) (૨) માંસાહાર (માંસ, મચ્છી, ઇંડા) (૩) મદ્યપાન (દારૂ) (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) ચોરી (9) પરસ્ત્રીગમન. ૦ આ સાત વ્યસન તથા મહાઆરંભ; મહાપરિગ્રહ જે પણ નરકના કારણભુત છે. તેનાથી દૂર રહેવું, છોડી દેવું. 36
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy