SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરિયાત? જાહેરાત ઘેલછા? “જેના વગર તમને નહિ ચાલે” એવા શબ્દો હતા એક મોંઘા માસિકના પાનાવાળી જાહેરખબરમાં, ઝવેરાત ખરીદવા. ઝવેરાત વગર દુનિયામાં ઘણાં માણસોને ચાલે છે જ. એના વગર જીવી ન શકે એવું દુનિયામાં કોઈ નથી. છતાં જાહેરાતોથી માણસો ફસાય છે. કૃત્રિમ સાધનોને અપનાવે છે. આધુનિક જીવનને વધુમાં વધુ કૃત્રિમ બનાવવાનું કાવતરું એ જાહેરાતો જ છે. આ વગર ન ચાલે, તે વગર ન ચાલે, અને પેલા વગર ન ચાલે. સિનેમા વગરન ચાલે, રેડિયો વગર ન ચાલે, ટી.વી., વીડીયો વગર ન ચાલે, બંગલા વગર ન ચાલે, મોટર વગર ન ચાલે, પરદેશ યાત્રા વગર ન ચાલે, જરૂરિયાતો વધારવાની, ખર્ચ વધારવાની ઘેલછા, સાહેબી એનું મૂળ છે, ઝેરી મૂળ છે. એથી ઉલટું સંતોષી અને સુખી જીવનનું રહસ્ય સાદાઈ છે એના વગર ચાલે જ નહિ, કોઈ બંધન નહિ, વ્યસન નહિ, આવશ્યકતા નહિ. સ્વતંત્ર. કદાચ લઉખરો, જોઉ ખરો, ઉપયોગ કરૂં ખરો, પણ ગરજનો માર્યો નહિ. એના વગર ચાલે જ નહિં એવો પરાધીન તો નહિ જ. 34
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy