________________
ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દઢ ભાવ, સમજ નહીં નિજધર્મની, નહીં શુભ દેશે સ્થાન. ૮ કાળ દોષ કળીથી થયો, નહિ મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન મન માંહી, નહીં ઉદાસ અન્નભક્તથી, તેમ ગૃહાદિક માંહી. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહી, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું, નહીં એક સદ્ગણ પણ મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરૂણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરૂસંતને, મૂક્યું નહીં અભિમાન. ૧૫
૧૦