________________
શ્રી સદગુરૂ ભક્તિ રહસ્ય
(દોહરા)
હે પ્રભુ! હે પ્રભુ શું કહું હે પ્રભુ હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો, ભાજન છું કરૂણાલ. ૧ શુદ્ધ ભાવ મુક્યાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉરમાંહી, આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નહી. ૩ જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જેગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકું, એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાત્મનો, નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ, કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. ૭
૯૯