SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વરૂપનું કથન કરીએ છીએ જીવ અને અજીવ, જેમનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે, આમ્રવના અધિકરણ હોય છે જેમાં અર્થ અધિકૃત કરી શકાય તે દ્રવ્યને અધિકરણ કહે છે. દ્રવ્યના છ ભેદ છે–(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકશાસ્તિકાય (૪) કાળ (૫) જીવાસ્તિકાય અને (૬) પુદ્ગલાસ્તિકાય આ રીતે જે દ્રવ્યના આશ્રયથી આસ્રવ ઉત્પન્ન થાય છે તેને અધિકરણ કહે છે. જો કે સમસ્ત શુભાશુભ કાયવેગ આદિ રૂપ આસ્રવ જીવને જ થાય છે તે પણ જે આમ્રવને જીવ પ્રધાન થઈને ઉત્પન કરે છે તે આસ્રવતું અધિકરણ છવદ્રવ્ય હોય છે અને જે આસ્રવ અછવદ્રવ્યના આશ્રયથી જીવને ઉત્પન્ન થાય છે, તે આસવનું અધિકરણ અજીવદ્રવ્ય કહેવાય છે. આ કારણથી જ અહી જીવ તથા અજીવ એ બંનેને આસ્ત્રના અધિકરણ કહેવામાં આવ્યા છે. કેઈ ન કેઈ પર્યાયથી યુકત થઈને જ દ્રવ્ય આસવનું અધિકરણ થાય છે સામાન્ય દ્રવ્ય નહીં. (કારણ કે પર્યાયવિહીન સામાન્ય દ્રવ્યનું અસ્તિત્વ જ શકય નથી). આ તથ્યને સૂચિત કરવાના આશયે પર્યાય આમ્રવના અધિકરણ છે, એ પ્રકટ કરવા માટે સૂત્રમાં “જીવાજવા એ મુજબ બહુવચનને પ્રયોગ કરવામાં આવ્યું છે ના તત્વાથનિયુકિત–પૂર્વસૂત્રમાં બતાવવામાં આવ્યું કે તીવ્રભાવ, મન્દભાવ આદિ તથા વીર્યવિશેષ તથા અધિકરણ વિશેષ સામ્પરાયિક આસ્રવમાં વિશેષતા ઉત્પન્ન કરવાના કારણરૂપ હોય છે. આમાંથી તીવ્રભાવ, મન્દભાવ આદિ પ્રક અને અપકર્ષરૂપ હોય છે તેમજ લેકમાં પ્રસિદ્ધ હોવાના કારણે સુપ્રતીત છે વીતરાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારા ક્ષાયોપથમિક વીર્ય અને ક્ષયથી ઉત્પન્ન થનારૂં ક્ષાયિક વીર્ય પ્રાયઃ પહેલા જ કહેવાઈ ગયા છે પરંતુ અધિકારણ શું છે અને તેના કેટલાં ભેદ છે? આ પ્રકારની જિજ્ઞાસા થવાથી કહીએ છીએ – જીવ અને અજીવ આસવના અધિકારણ છે. જેમાં અર્થ અધિકૃત કરવામાં આવે તે દ્રવ્ય અધિકરણ કહેવાય છે. દ્રવ્યના છ ભેદ છે-(૧) ધર્મોસ્તિકાય (૨) અધમસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ (૫) વાસ્તિકાય અને (૬) પુદ્ગલ સ્તિકાય આમાંથી જે દ્રવ્યને આશ્રિત કરીને આવની ઉત્પત્તિ થાય છે, તે દ્રવ્ય અધિકરણ કહેવાય છે. જો કે બધાં પ્રકારને આસવ પછી ભલે તે શુભ હોય અથવા અશુભ જીવને જ ઉત્પન્ન થાય છે, પરંતુ જે અ સ્રવ જીવની મુખ્યતાથી ઉત્પન્ન થાય છે તેનું અધિકરણ છવદ્રવ્ય કહેવાય છે. તીવ્ર અગર મન્દ આદિ ભાવના રૂપમાં પરિણત થનારા આત્માના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૨૫
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy