SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ માયાને ક્ષય થાય છે સૂમસામ્પરાય ગુણસ્થાનના ચરમ સમયમાં સંજવલન લોભને ક્ષય થાય છે ત્યારબાદ ક્ષીણકષાય ગુણસ્થાનમાં નિદ્રા અને પ્રચલા નામક બે પ્રકૃતિના દ્વિચરમ સમયમાં ક્ષય થાય છે અને ચરમ સમયમાં ચૌદ પ્રકૃતિઓને ક્ષય થાય છે જે આ પ્રમાણે છે પાંચ જ્ઞાનાવરણ અને નવ દર્શનાવરણની અગકેવળી દ્વિચરમસમયમાં પીસ્તાળીશ નામપ્રકતિઓનો ક્ષય કરે છે તે આ પ્રમાણે છે દેવગતિ, ઔદરિક આદિ પાંચ શરીરનામ છે સંસ્થાન ત્રણ અંગોપાંગ, છ સંહનન. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, મનુષ્યગત્યાન પૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશરતવિહાગતિ, અપ્રશસ્ત વિહાગતિ, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, સુવર સ્વર, અનાદેય. અયશકીતિ અને નિર્માણ સાતા અસાતામાંથી કોઈ એક વેદનીય અને નીચ ગોત્ર કમરને ક્ષય થવાથી તીર્થકર અગકેવળી ચશ્મ સમયમાં બાર કર્મ પ્રકૃતિએને ક્ષય કરે છે તે આ પ્રમાણે છે કોઈ એક વેદનીય ઉચ્ચગેત્ર, મનુષ્પાયુ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય યશકીર્તિ અને તીર્થકર નામકર્મ અતીર્થકર કેવળી ચરમસમયમાં આજ ઉપર કહેલી પ્રકૃતિઓનો ક્ષય કરે છે, માત્ર તીર્થંકર પ્રકૃતિને ય કરતાં નથી કારણ કે તેમને પ્રકૃતિઓ હતી જ નથી. આમ તેઓ અગીયાર પ્રકૃતિએને ક્ષય કરે છે. આયુષ્ય કેવળ એક મનુષ્પાયુ જ તેમનામાં હોય છે, શેષ ત્રણ આયુષ્ય બાંધ્યા હતા નથી આથી એક માત્ર મનુષ્પાયુ કમને જ તે સમયે ક્ષય થાય છે. સ્થાનાંગના ત્રીજા સ્થાન, ચેથા ઉદ્દેશકમાં કહ્યું છે– ક્ષીણુમેહનીય અરિહન્ત ભગવાનના ત્રણ કમશને એકી સાથે ક્ષય થાય છે તે આ પ્રમાણે છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અત્તરાય ઉત્તરાધ્યયનના ૨લ્માં અધ્યયનને ૭૧ માં બોલમાં કહ્યું છે સર્વ પ્રથમ યથાક્રમ અઠયાવીશ પ્રકારના મહનીયકર્મને ક્ષય કરે છે, પાંચ પ્રકારના જ્ઞાનાવરણનો. નવ પ્રકારના દર્શનાવરણ કર્મને અને પાંચ પ્રકારના અન્તરાયકર્મને આ ત્રણે કમ શેને એકી સાથે ક્ષય કરે છે. પુનઃઉત્તરાધ્યયનના ઉલ્માં અધ્યયનના ૭રમાં બેલમાં કહ્યું છે અનગાર સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિ શુકલધ્યાન ધ્યાને થકે વેદનીય, આયુ. નામ અને ગોત્ર આ ચાર કમશને એકી સાથે ક્ષય કરે છે. આ રીતે ઉત્તરાધ્યયન અને સ્થાનાંગ નામક સૂત્રાગમના પ્રમાણુથી જ્ઞાત થાય છે કે મેક્ષ અવસ્થામાં સમસ્ત કર્મોને ક્ષય થાય છે. આથી સંપૂર્ણ કર્મોને ક્ષય મેક્ષ કહેવાય છે એવું પ્રકૃતસૂત્રમાં કહેવામાં આવ્યું છે. જે ૧ શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy