SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવાથી થવાવાળી કિયા. (૨૧) પ્રેમપ્રત્યયિકી–માયા અને લેભના કારણે થનારી ક્રિયા. (૨૨) શ્રેષપ્રત્યયિકી–ધ, અને માનથી થનારી કિયા (૨૩) પ્રાગિકી-મન, વચન, કાયા દ્વારા ગૃહીત કર્મો જે ક્રિયાની દ્વારા સમુદાય અવસ્થામાં થતાં થકા સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ રૂપમાં પરિણત કરવામાં આવે. | (૨૫) અપથિકી-હાલવા ચાલવાથી લાગવાવાળી ક્રિયા. આ અર્થમાત્ર વ્યુત્પત્તિ નિમિત્તથી કરવામાં આવ્યો છે. આને પ્રવૃત્તિ નિમિત્તક આશય આ પ્રમાણે છે-ઉપશાત મેહ, ક્ષીણમેહ અને સોગ કેવળીના યોગના નિમિત્તથી સાતવેદનીય કર્મને જેનાથી બન્ધ થાય છે તે અપિથકી ક્રિયા છે. આ ઉપશાત મોહ આદિમાં પ્રમાદ અને કષાયને ઉદય થતું નથી, આથી કર્મને પ્રથમ સમયમાં બધૂ થાય છે, બીજા સમયમાં વેદન થાય છે અને ત્રીજા સમયમાં નિર્જરા થઈ જાય છે આવી કાયિક અથવા વાચિક કિયા ઔર્યાપથિકી કહેવાય છે. આવી રીતે પચ્ચીસ ક્રિયાઓ છે. આના સિવાય આસ્રવ અર્થાત મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભયોગ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તા દાન, થન, પરિગ્રહ, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસના, સ્પર્શન, એ પાંચ ઇન્દ્રિઓ, મન વચન અને કાયાને અશુભ વ્યાપાર, ભાડોપકરણેનું યત્નાથી ગ્રહણ કરવું રાખવું તથા ઉપાડવું તથા સૂચીકુશાગ્ર માત્રને પણ અયત્નાપૂર્વક ગ્રહણ કરવ-આ સામાન્ય રૂપથી વીસ ભેદ હોય છે તથા આશ્વવના પૂર્વોકત બેંતાલીસ ભેદમાં પંદર પ્રકારનાં ગેને ઉમેરી દેવાથી આસવના સત્તાવન ભેદ પણ થાય છે. પા તત્વાર્થનિયુકિત-પહેલા કમરને આસવ સમ્પરાયિક અને અર્યા પથિકના ભેદથી બે પ્રકારનો કહેવામાં આવ્યું છે. હવે સામ્પરાયિક કર્મના આસવના ભેદની પ્રરૂપણ કરીએ છીએ ઇન્દ્રિય, કષાય. અશુભગ, અવ્રત અને ક્રિયાના ભેદથી સામ્પરાયિક કર્મના આસવ બેંતાળીશ પ્રકારનાં છે. આમાંથી ઈન્દ્રિયો પાંચ છે–સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર, કષાય ચાર પ્રકારના છે–પ્રાણાતિપાત, અમૃત (અસત્ય), સ્તેય (ચીય) અબ્રહ્મચર્ય અને પરિગ્રડ કાયિકી આદિના ભેદથી ક્રિયાઓના પચ્ચીસ ભેદ છે. આ ઈન્દ્રિય, કષાયે. અત્રતા અને ક્રિયાઓના ભેદ મળીને ઓગણચાળીસ ભેદ થાય છે આથી સામ્પરાયિક આસવના પણ ઓગણચાળીસ જ ભેદો થાય છે. પ્રમાદી અને સ્પર્શ આદિ વિષયમાં કષાય આદિ રૂપ પરિણતિવાળા આત્માને સ્પર્શન આદિ પાંચે ઈન્દ્રિય સામ્પરાયિક શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૧ ૩
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy