SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તથી અથવા વચનરૂપકરણથી આત્મીય નુ` જે ઉત્થાન થાય છે તેને વચનાગ કહે છે. સત્યવચનચેગ આદિના ભેદ્રથી તેના ચાર ભેદ છે. આ રીતે કાયવાન્ આત્માદ્વારા સમસ્ત પ્રદેશેાથી ગ્રહણ કરવામાં આવેલા મનાવાને ચાગ્ય પુદૂંગલસ્ક્રુ ધ શુભાશુભચિન્તનમાં કરણ થાય છે. તેમના સંબંધથી આત્માનું જે પરાક્રમ વિશેષ ઉત્પન્ન થાય છે તેને મનચેમ કહે છે સત્ય આદિના ભેદથી તે પણ ચાર પ્રકારને છે. જો કે વચનવાને ચાગ્ય પુદ્ગલકધ અથવા મનાવાને યોગ્ય પુદ્ગલશ્ડ ધ વાસ્તવમાં સત્ય અથવા અસત્ય શબ્દથી કહેવાને ચગ્ય નથી, કારણ કે સત્ય અસત્ય આદિના ભેદ જ્ઞાનમાં જ થઈ શકે છે, તે પશુ સત્ય અથવા અસત્ય જ્ઞાનની અન્દર તે આત્માના સામર્થ્યને ઉત્પન્ન કરે છે, તથા નાઇન્દ્રિય (મન) બાહ્ય માઁના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારા મનેાવિજ્ઞાન રૂપ પરિણામમાં આત્માના સહાયક બને છે, એ કારણથી તેમજ આત્માથી સહુચરિત હાવાના કારણે ઉપચારથી તે પુદ્ગલસ્કન્ધાને પણ સત્ય અથવા અસત્ય આદિ શબ્દોથી કહેવામાં આવે છે. આવી રીતે ક્રાયિક વાચિક અને માનસિકના ભેથી પણ ત્રણ પ્રકારના કમચાગ કહેવાય છે. આત્માથી અધિષ્ઠિત કાય આદિ બધાં મળીને અને એકલા એકલા પણ ક્રિયાના હેતુ હાય છે. ક્રિયા ભલે કાયિક હાય અથવા વાચિક અથવા માનસિક તે પણ તેને કર્તા તા એક આત્મા જ છે. તે બધી ક્રિયાનું અભિન્ન કારણ છે. દ્રવ્યરૂપ કાયચેાગ વગેરે અંદરો અંદર મળીને ભાવયેાગ રૂપ વીને ઉત્પન્ન કરે છે. જેમ આત્મા કર્તાના શરીરના આગમત અને ઉત્પાદ એક પહેલું અભિન્ન કારણ છે, એવી જ રીતે ત્રણે ચૈાગ પણ હાય છે. આવી રીતે શરીર અને આત્માના પ્રદેશેાના પિણ્ડ વિભિન્ન ક્રિયાને કરવાના કારણે ત્રણ પ્રકારનાચેાગ કહેવાય છે, વસ્તુતઃ કાયયેાગ સાત પ્રકારના છે.-(૧) ઔદારિક કાયયેાગ (૨) ઔદારિક મિશ્રકાયયેાગ (૩)વૈષ્ક્રિય કાયયેાગ (૪) વૈક્રિયમિશ્ર કાયયેાગ (૫) આહારક કાયયેાગ (૬) આહારક મિશ્રકાયયેગ અને (૬) કામણ કાયયેગ વચનયોગ ચાર પ્રકારના છે-() સત્ય વચનયેાગ (ર) અસત્ય વચનયેગ (૩) સત્યાસત્ય ઉભય-વચનયાગ અને (૪) અનુભય વચનયેાગ–પાપથી-વિરત થવું જોઈએ આ સત્ય ચનયેાગ છે.-પાપ કશુ જ નથી આ અસત્ય વચનાગ છે. આ ગાયે ચાલી રહી છે? આ સત્યાસત્ય વચનયેાગ છે કારણ કે અહી’ ‘ગે’ શબ્દથી પુરૂષોને પણ ગ્રછુ કરવામાં આવ્યા છે. ‘ચત્ર' ગામ આવ્યે’ આ અસત્યા મૃષા-અનુભય વચનવેગ છે. આવી જ રીતે મનાયેાગ પણ સત્ય આદિના ભેદથી ચાર પ્રકારના છે. મધા મળીને ચાગના પર એક હાય છે. કાયચાગ આદિમાંથી પ્રત્યેકના બે-બે ભેદ છે-શુભ અને અશુભ આથી કાયયેાગ પણ શુભ-અશુભતા ભેદથી એ પ્રકારના છે. વચનયોગ અને સના શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૩
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy