SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ તત્વાર્થસૂત્રને એક પ્રકારની વેદનાને વેદ કરે છે. વેદ એક પ્રકારની અભિલાષા છે અને લિંગને પણ વેદ કહે છે. વેદનાં ત્રણ ભેદ છે- પુરુષવેદ, વેદ નપુંસકવેદ, લિંગ બે પ્રકારના છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ, નિનામ કમ અને લિંગનામકર્મના ઉદયથી દ્રવ્યલિંગ ઉત્પન્ન થાય છે. ભાવલિંગની ઉત્પત્તિ કષાય મેહનીય કર્મનાં ઉદયથી થાય છે. પુવેદનાં ઉદયથી પુરુષ થાય છે. સંસ્કૃત ભાષા અનુસાર આ શબ્દની વ્યુત્પત્તિ છે. “સૂતે અપત્યમ-ઈતિ પુમાન” અર્થાત્ જે સંતાનને ઉત્પન્ન કરે (૨) સ્ત્રીવેદનાં ઉદયથી જેમાં ગર્ભ બંધાય છે તેને સ્ત્રી કહે છે. (૩) નપુંસકવેદના ઉદયથી જે જીવ પૂર્વોકત બંને શક્તિઓથી રહિત હોય છે અર્થાતુ ન સંતાન ઉત્પન્ન કરી શકે અથવા ગર્ભ ધારણ કરી શકે તે નપુંસક કહેવાય છે. આ રીતે હાસ્ય રતિ અરતિ વગેરે નવ પ્રકારનાં કષાય વેદનીયનાં ભેદમાં એક જે વેદ છે તેનાં ત્રણ પ્રકાર છે. (૧) પુરુષવેદ (૨) ત્રીવેદ અને (૩) નપુંસક વેદ, પુરષદનાં ઉદયથી સ્ત્રીની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ કફનાં પ્રકોપવાળા પુરષને કેરી ખાવાની ઈચ્છા થાય છે તેમ આ જ રીતે સંક૯પની વિષયભૂત સ્ત્રીઓમાં પણ અભિલાષા સમજી લેવાની છે. આજ સ્ત્રીવેદનાં ઉદયથી પુરુષ પ્રત્યે અભિલાષા ઉત્પન્ન થાય છે. સંકલ્પજનિત પુરુષ પ્રત્યે પણ આ જ કારણે અભિલાષા થાય છે. નપુંસકવેદના ઉદયથી કેઈને પુરુષ અને સ્ત્રી બંનેની અર્થાતુ બંનેની સાથે કીડા કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ બે ધાતુઓના ઘર્ષણથી માર્જિત આદિ દ્રવ્યની અભિલાષા થાય છે. કોઈકેઈને માત્ર પુરુષની સાથે કામક્રીડા કરવાની ઈચ્છા થાય છે પાછા તત્વાર્થનિયંતિ–હાસ્ય રતિ અરતિ, શક, ભય, જુગુપ્તા, સ્ત્રીવેદ પુરૂષદ, અને નપુંસક વેદ આ નેકષાયવેદનીય કર્મના નવ ભેદ છે. આ નવભેદોમાં ત્રણ વેદોની ગણના કરવામાં આવી છે. એક વિશેષ પ્રકારની વેદના અથવા અભિલાષાને વેદ કહે છે. આશય આ છે. મેહનીય કર્મ બે પ્રકારના છે-દર્શનમેહનીય. અને ચારિત્રમેહનીય (૨) દર્શનમેહનીયના ત્રણ ભેદ છે. (૧) મિથ્યાત્વમેહનીય સમ્યકત્વમેહનીય અને (૩) સમ્યગૃમિથ્યાત્વમેહનીય મિશ્રમેહનીય. ચારિત્રમેહનીય કર્મના બે ભેદ છે-કષાય મેહનીય અને ને કષાય મેહનીય. આમાથી કષાયમેહનીયના ૧૬ ભેદ છે-ક્રોધ માન માયા અને લેભ, આ માટેનાં અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન અને સંજવલનના ભેદથી ચાર ચાર ભેદ હોવાથી સોળ ભેદ થઈ જાય છે. ન કષાય મોહનીયના નવ ભેદ છે-હાસ્યાદિ પૂર્વોકત ત્રણ વેદોની ગણત્રી આની જ અન્તગત છે. આ પૈકી પુરુષ વેદમોહકર્મના ઉદયથી સ્ત્રીની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ કફને પ્રકેપ થનારને આમ્રફળ ખાવાની ઈચ્છા થાય છે. તેમ આવી જ રીતે સ્ત્રી વિષયક સંકલ્પ જનિત સ્ત્રીઓની તરફ પણ અભિલાષા જમે છે જ્યારે સ્ત્રીવેદને ઉદય થાય છે. તે પુરુષ તરફ આકર્ષણ ઉત્પન્ન થાય છે. સાથે જ સંકલ્પજનિત પુરુષની પણ અભિલાષા થાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૭૨
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy