SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ ઈદ્રિયેનું નિરૂપણ સૂ. ૧૭ ૩૨ અગ્નિ અથવા કાંટા વગેરે જોઈએ છીએ ત્યારે દાહ, ભીનાશ અગર ભેદન વગેરે હેતા નથી. શરીર દેશ સ્થિત નેત્રમાં યોગ્ય દેશમાં સ્થિત રૂપ વગેરેને ગ્રહણ કરવાની યોગ્યતા સ્વભાવથી જ સિદ્ધ છે. નેત્ર ઢાંકેલા પદાર્થને જાણતું નથી આથી એને પણ પ્રાપ્યકારી માનવું જોઈએ, એમ કહી શકાય નહીં. એવું કહેવામાં આવે કે જેમ દિવાલ વગેરે દ્વારા વ્યવહિત પદાર્થને નેત્રગ્રહણ કરી શકતું નથી તેજ રીતે કામ વગેરે દ્વારા વ્યવહિત પદાર્થને પણ નેત્ર ગ્રહણ કરી શકતું નથી પરંતુ તેને તે નેત્ર ગ્રહણ કરી લે છે. આ સિવાય આ દલીલથી તે મન પણ, જેને સમસ્તવાદી નિર્વિવાદ રૂપથી અપ્રાપ્યકારી માને છે, તે અપ્રાપ્યકારી રહેશે નહીં કારણ કે તે દિવાલ વગેરેથી ઢંકાયેલી વસ્તુને ગ્રહણ કરતું નથી. શંકા-જેમ આંખ વગેરે ઇન્દ્રિયે છે તે રીતે સુખ, દુઃખ અને ઈચ્છા વગેરે પણ જીવનું લક્ષણ હોવાથી ઈન્દ્રિય હોવી જોઈએ. સમાધાન—એવો નિયમ નથી કે જે જીવનું લિંગ હોય તે બધી ઈન્દ્રિય જ છે આથી સુખ વગેરે કદાચિત્ જીવના લિંગ હોઈ શકે છે. તે પણ તેમને ઈન્દ્રિય કહી શકાય નહીં. પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં ઈન્દ્રિયપદમાં કહ્યું છે– પ્રશ્ન–ભગવદ્ ! ઇન્દ્રિયે કેટલી કહી છે ? ઉત્તર–ગૌતમ! પાંચ ઈન્દ્રિય કહી છે. જેમકે ઍન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિય પાછા 'पुणा दुविहं भाविंदियं दधिदियंया' મૂલાઈ–ઈન્દ્રિયના બીજા બે પ્રકાર છે જેમકે—-ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય ૧૮ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ઈન્દ્રિયો પાંચ પ્રકારની કહી છે તેજ ઈન્દ્રિયોના પ્રકારાન્તરથી પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-ઇન્દ્રિયો બે પ્રકારની છે. ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આ રીતે સ્પર્શન વગેરે પાંચે ઈન્દ્રિયે દ્રવ્યેન્દ્રિય અને ભાવેદ્રિયના ભેદથી બે-બે પ્રકારની છે. સાધારણ રીતે જે ઈન્દ્રિયો પુગલની પરિણતિ છે તે દ્રવ્યેદ્રિય અને જે આત્માની પરિણતિરૂપ છે તે ભાવેન્દ્રિય કહેવાય છે ૧૮ તત્વાર્થનિયુકિત–પૂર્વ સૂત્રમાં ઈન્દ્રિયોની સંખ્યાનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે બીજી રીતે ફરીવાર તેમની સંખ્યાનું નિરૂપણ કરવા માટે કહ્યું છે-ઈન્દ્રિયે પુનઃ બે પ્રકારની છે-ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય. સામાન્ય રૂપથી પગલિક ઈન્દ્રિયે જે નામ કર્મ દ્વારા નિર્મિત છે તે દ્રવ્યેન્દ્રિય છે અને જે ઈન્દ્રિયાવરણ કર્મ તથા વીર્યાન્તરાય કર્મના ક્ષપશમ નામથી આત્માની પરિણતિ રૂપ ઉત્પન્ન થાય છે તે ભાવેન્દ્રિય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૧૫માં ઈન્દ્રિયપદમાં કહ્યું છે પ્રશ્ન–ભગવાન ! ઈંદ્રિા કેટલા પ્રકારની છે ? જવાબ–ગૌતમ ! બે પ્રકારની છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તાત્પર્ય એ છે કે દ્રવ્યેન્દ્રિય અનન્ત પ્રદેશાત્મક યુગલને સ્કંધ. તે નિવૃત્તિ તથા ઉપકરણના ભેદથી બે પ્રકારની છે. અસંખ્યાત આત્મપ્રદેશ તેમનામાં રહે છે. ભાવેન્દ્રિય આત્માનું પરિણમન વિશેષ છે, તેમનું સ્વરૂપ હવે પછીના સૂત્રમાં જ દર્શાવવામાં આવશે ૧૮ 'पुणो दुविहं भावेदियं दव्वेदियं च' મૂલાથ–ભાવેન્દ્રિય બે પ્રકારની છેલબ્ધિ અને ઉપયોગ ૧૯ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy