SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ. ૫. નારકજીવાનાસ્વરૂપનું વર્ણન સૂ. ૧૩ ૨૮૭ છે. નરકભૂમિઓમાં દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદના થાય છે. —(૧) અનન્ત ક્ષુધા (૨) અનન્ત તૃષા (૩) અનન્ત શીત (૪) અનન્ત ઉષ્ણુ (૫) અનન્ત પરવશતા (૬) અનન્ત દાહ (૭) અનન્ત ખજવાળ (૮) અનન્ત ભય (૯) અનન્ત શાક અને (૧૦) અનન્ત ઘડપણું. એવી જ રીતે નારક જીવાની વિક્રિયા પણ હંમેશાં અશુભતર જ હાય છે. તે જીવા પેાતાના ઉત્તર વૈક્રિયરૂપ સુદર રૂપ સમ્પન્ન બનાવવા ઈચ્છે છે ખરાં પરંતુ ક્ષેત્ર અને કર્માંના પ્રભાવથી તે વિષક વગેરેની માફક ઘણા જ કદરૂપા અને છે. ૧૩ા તત્ત્વાથ નિયુકિત—આની અગાઉ રત્નપ્રભા આદિ સાત ભૂમિમાં ક્રમશઃ ત્રીસ પચીસ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ એછા તથા પાંચ નરકોની પ્રરૂષણા કરવામાં આવી છે. હવે તે નરકામાં ઉત્પન્ન થનારાં નારક જીવાના સ્વરૂપ વગેરેની પ્રરૂપણા કરીએ છીએ— નરકામાં ઉત્પન્ન થનારાં નારકી જીવા નિરન્તર અશુભતર વેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાવાળા હાય છે, અહી નિત્યના અથ છે સદૈવ અને અશુભતરના અભિપ્રાય છે અત્યન્ત અશુભ-અનિષ્ટ કૃષ્ણુ આફ્રિ લેશ્યાએ પ્રસિદ્ધ છે. પરિણામના અર્થ શબ્દ, વણુ, રસ, ગન્ધ તથા સ્પર્શ સમજવા જોઈએ. શરીરનેા આશય છે ભવધારણીય વૈક્રિય શરીર વેદનાના અથ થાય છે અસાતાવેદનીય કર્માંના ઉદયથી ઉત્પન્ન થનારા તીવ્ર દુઃખ અને વિક્રિયાના અથ છે. વિકૃત ઉત્તરવૈક્રિય શરીરની વિધ્રુણા આ બધાં નારક જીવામાં સદૈવ અતીવ અશુભ હાય છે. મૂળ સૂત્રમાં લેશ્યા આદિ પદોમાં દ્વન્દ્વ સમાસ છે. આ સમાસની આદિમાં પ્રયાગ કરવામાં આવેલા ‘નિત્યાશુભતર' શબ્દ લેશ્યા આદિ બધાની સાથે સાંકળી શકાય છે. આથી સારાંશ એ તારવી શકાય કે નારકીના જીવા હંમેશાં અશુભતર લેશ્યાવાળા, અશુભતર પરિણામ વાળા નિત્ય અશુભતર શરીરવાળા, નિત્ય અશુભતર વેદનાવાળા અને નિત્ય અશુભતર વિક્રિયાવાળા હાય છે. નિત્યપ્રસિત અથવા નિત્ય પ્રજલિતમાં જેમ નિત્ય શબ્દ સાતત્ય સદાના વાચક છે તેજ રીતે અહી પણુ સાતત્યના વાચક છે. તેના અથ હંમેશા, સદૈવ, લગાતાર એ પ્રમાણે સમજી લેવા જોઈએ. રત્નપ્રભા અને શકરાપ્રભા પૃથ્વિનાં નારક જીવામાં કાપાત લેશ્યા હૈાય છે. વાલુકાપ્રભાના ઉપરી ભાગમાંના નારકામાં કાપાત અને નીચેના ભાગમાં નીલ લેશ્યા હૈાય છે. ૫પ્રભાના નારક નીલ લેશ્યાવાળા, ધૂમપ્રભાના ઉપરી ભાગના નારકો નીલ લેશ્યાવાળા અને નીચલા ભાગના કૃષ્ણે લેશ્યાવાળા હેાય છે. તમઃપ્રભાના નારક પણ કૃષ્ણ વેશ્યાવાળા હાય છે. તમસ્તમઃ પ્રભાના નારામાં પરમકૃષ્ણે લેસ્યા હાય છે. આ નારકીના જીવાના આયુષ્યના અન્ત સુધી રહેનારી લેશ્યાનું પ્રતિપાદન થયું. નરકભૂમિ રૂપ ક્ષેત્રના પ્રભાવથી તેમના પરિણામ અર્થાત્ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શી અત્યન્ત અશુભ અને દુઃખના કારણ હોય છે. અશુભ નામક ના ઉદયથી તેમના શરીર પણ અત્યન્ત અશુભ હેાય છે. વિકૃત ચહેરાવાળા સ્ફૂડ સંસ્થાન વાળા, છેદન-ભેદન કરેલાં પક્ષીના શરીર જેવા જોવા ન ગમે એવા હાય છે. તેમના શરીરની ઉંચાઈ રત્નપ્રભા શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २८७
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy