SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ સાત નરકભૂમિ અને નરકાવાસોનું નિરૂપણ સૂ. ૧૧-૧૨ ૨૮૫ હજાર જનની પહોળાઈવાળા તનુવાત પર ટકેલું છે, તનુવાત પછી અસંખ્યાત કરોડા–કરોડ યાજનવાળું મહા તમોભૂત આકાશ રહેલું છે તે આકાશ ખરકાન્ડ, પંકબહુલકાંડ અખૂહલકાન્ડ એ ત્રણ કાન્ડોવાળી તનુવાત સુધીની રત્નપ્રભા પૃથ્વિના પરસ્પર આધારભૂત છે. આ પૃવિ આદિ તનુવાત સુધી બધા પેલા આકાશની ઉપર પ્રતિષ્ઠિત છે આકાશ પોતાના સ્વભાવથી પિતાના રૂપથી પ્રતિષ્ઠિત છે એ કેઈના આધારે ટકેલ નથી આથી જ ઘનેદધિ ઘનવાત અને તનુવાત આકાશ પર પ્રતિષ્ઠિત–રહેલાં છે. તે પ્રત્યેક પ્રષ્યિ અસંખ્યાત કરેડા કરેડ-જનના વિસ્તારવાળી લોકસ્થિતિના સ્વભાવથી સ્થિત છે. હવે આ સાતે પૃથ્વિનું પ્રમાણ કહીએ–રત્નપ્રભા નામની પહેલી પૃથ્વિ આયામવિષ્કમ્મુ-લંબાઈ પહોળાઈથી એક રજજુ પ્રમાણની છે (૧), શર્કરા પ્રભા અઢી રજજુપ્રમાણ (૨) વાલુકાપ્રભા ચાર રજજુપ્રમાણ (૩) પંકપ્રભા પાંચ રજજુપ્રમાણ (૪) ધૂમપ્રભા છ રજજુપ્રમાણ (૫) તમઃપ્રભા સાડા છ રજજુપ્રમાણ (૬) અને તમસ્તમઃપ્રભા સાતમી પૃથ્વિ સાત રજજુપ્રમાણની છે (૭) એમનું ઉત્કીર્તન નામ અને ગોત્ર બંને પ્રકારથી થાય છે જેમકે પહેલી પ્રષ્યિ નામથી ધમ અને ગાત્રથી રત્નપ્રભા કહેવાય છે (૧), બીજી પૃથ્વિ નામથી વંશા અને ગોત્રથી શર્કરપ્રભા (૨) ત્રીજી પૃવિ નામથી શિલા અને ગોત્રથી વાલુકાપ્રભા (૩) ચોથી નામથી અંજના અને ગાત્રથી પંકપ્રભા (૪) પાંચમી નામથી રિછા અને ત્રથી ધૂમપ્રભા (૫) છઠ્ઠી નામથી મઘા અને ત્રથી તમપ્રભા (૬) સાતમી પૃવિ નામથી માઘવતી અને ગોત્રથી તમસ્તમઃપ્રભા કહેવાય છે. (૭) - આ સાતે પૃથ્વિઓમાંથી પ્રથમ રત્નપ્રભાકૃથ્વિ પૂર્વાપર આદિ બધા વિભાગોમાં સર્વત્ર એક સરખા ઘનરૂપથી ઉપરથી નીચે સુધી અર્થાત પિન્ડરૂપથી એકલાખ એંશી હજાર જન મોટી છે (૧,૮૦,૦૦૦) એવી જ રીતે શર્કરામભા પૃથ્વિની મોટાઈ એક લાખ બત્રીસ હજાર જન (૧,૩૨,૦૦૦) છે (૨) વાલુકાપ્રભા પૃથ્વિની મોટાઈ એક લાખ અઠયાવીશહજાર જનની છે (૧,૨૮,૦૦ળ) (૩) પંકપ્રભાની મેટાઈ એક લાખ વીસ હજાર યોજનની છે (૧,૨૦,૦૦૦) (૪) ધૂમપ્રભાની મોટાઈ એક લાખ અઢાર જનની છે (૧ ૧૮,૦૦૦) (૫) તમઃપ્રભા પૃશ્વિની મોટાઈ એક લાખ સોળ હજાર જનની છે (૧,૧૬,૦૦૦) (૬) તમસ્તમઃ પ્રભા પૃથ્વિની મોટાઈ એક લાખ આઠ હજાર એજનની છે (૧,૦૮૦૦૦) (૭) ૧૧ 'नरगा तेसु जहाकम तीसा पण्णावीसा' સૂવાથ–રત્નપ્રભા આદિ પૃથ્વિઓમાં યથાકમ ત્રીસ લાખ, પચીસ લાખ, પંદરલાખ, દસ લાખ, ત્રણુલાખ, એકલાખમાં પાંચ ઓછાં અને ફક્ત પાંચ નરકાવાસ છે કે ૧૨ તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓની પ્રરૂપણ કરવામાં આવી હવે તેમનામાં પ્રત્યેકની અંદર નારકાવાસની સંખ્યાની પ્રરૂપણા કરીએ છીએ– નરકનો અર્થ અહી નરકાવાસ અર્થાત નારકીના જીવને રહેવાનું સ્થાન સમજવું અગાઉ કહેલી ભૂમિમાં તેમની સંખ્યા આ રીતે છે–(૧) રત્નપ્રભા પૃથ્વિમાં ત્રીસ લાખ (૨) શર્કરામભામાં પચીસ લાખ (૩) વાલુકાપ્રભામાં પંદર લાખ (૪) પંકપ્રભામાં દસ લાખ (૫) ધૂમપ્રભામાં ત્રણ લાખ (૬) તમઃપ્રભામાં એક લાખ ઓછા પાંચ અને (૭) તમસ્તમઃપ્રભામાં માત્ર પાંચ નારકાવાસ છે કે ૧૨ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૮૫
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy