SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ પ્રકારાન્તરથી જીવના બે ભેદોનું કથન સૂ. ૮ ૧૩ તે આહારપર્યાપ્તિ છે. શરીર રૂપકરણની નિષ્પત્તિ થવી તે શરીરપર્યાપ્તિ છે એજ પ્રમાણે ઇન્દ્રિયપર્યાપ્તિ વગેરે પણ જાણી લેવા જોઈએ જે જીવા આ પ્રકારની પર્યાપ્તિઓથી યુક્ત હાય છે તે પર્યાપ્ત કહેવાય છે. જે જીવા આહાર વગેરે પર્યાપ્તિથી રહિત હેાય છે તેમને અપર્યાપ્ત કહે છે ાસૂ॰ છણા તત્વા નિયુકત—પૂર્વ સૂત્રમાં સૂક્ષ્મ અને આદરના ભેદથી જીવાનાં બે ભેદ કહેવામાં આવેલ છે. હવે તેમનાજ પ્રકારાન્તરથી એ ભેદ દર્શાવવા માટે કહીએ છીએતે જીવા પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી પુનઃ એ પ્રકારના છે. પર્યાપ્તિ અર્થાત્ શક્તિ ૬ પ્રકારની છે (૧) આહારપર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ અને (૬) મનઃ પર્યાપ્તિ. કઈ જીવા આડાર વગેરે પર્યાપ્તિથી યુક્ત હોય છે અને કોઈ-કોઈ તેનાથી રહિત હેાય છે. તેઓ જ્યાંસુધી પૂર્ણ પર્યાપ્તિ નથી બાંધતા ત્યાંસુધી અપર્યાપ્ત કહેવાય છે. આ કારણથી કોઈ જીવ પર્યાપ્ત અને કઈ અપર્યાપ્ત કહેવાય છે ાસૂ॰ ગા बेदिय इंदिय इत्यादि મૂલાથ એ ઇન્દ્રિય, ત્રણન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ત્રસ છે. ાસૢ૦ ૮ા તત્વા દીપિકા—ત્રસ અને સ્થાવરના ભેદથી સંસારી જીવ બે પ્રકારના કહેવાઈ ગયા છે. હવે તે ત્રસ અને સ્થાવર જીવેાનુ સ્વરૂપ ક્રમશઃ વિસ્તારપૂર્વક કહીએ છીએ. એ ઇન્દ્રિય, તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને ચ શબ્દને ગ્રહણ કરવાથી ખાદર તેજસ્કાયિક તથા વાયુકાયિક જીવ ત્રસ કહેવાય છે. આ પૈકી જે જીવા સ્પશ અને જીભ એ બે ઇન્દ્રિયોથી યુકત હાય છે તે એઇન્દ્રિય કહેવાય છે । જેવા કે–શંખ, છીપ, કાડી વગેરે । જેઓને સ્પર્શ, જીભ તથા નાક એ ત્રણ ઇન્દ્રિયા છે તે ત્રણઇન્દ્રિયવાળા જીવ કહેવાય છે જેવા કેથવા, વિંછી શતપદી ઇન્દ્રગોપ, જૂ લીખ, માંકડ, કીડી વગેરે । સ્પર્શી જીભ, નાકે તથા આંખ, ધારણ કરનારા ચતુરિન્દ્રય જીવા છે જેવા કે–ડાંસ, મચ્છર, પતંગીયા, ભમરા વીછી વગેરે । અંડજ (ઇંડામાંથી ઉત્પન્ન થનારા) પાતજ, તથા જરાયુજ ચામડાની પાતળી કોથળીમાંથી ઉત્પન્ન થનાર જીવ-પોંચેન્દ્રિય કહેવાય છે. uસૂ॰ ૮૫ તત્વા નિયુકત—ત્રસ અને સ્થાવરના ભેદથી સંસારી જીવાના બે ભેદ કહેવાઈ ગયા છે. હવે તેમનુ વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે એ સૂત્ર કહીએ છીએ. એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય તથા “ચ” શબ્દના ગ્રહણથી ખાદર તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ ત્રસ કહેવાય છે. એમાં કૃમિ વગેરે એઇન્દ્રિય કીડ વગેરે તેઇન્દ્રિય ભ્રમર વગેરે ચન્દ્રિીય તથા મનુષ્ય વગેરે પચેન્દ્રિય જાણવા જોઈએ. જીવાભિ ગમ”ની પહેલી પ્રતિપત્તિના, ૨૭માં સૂત્રમાં કહ્યું છે–ઉદાર ત્રસ પ્રાણી કેટલા પ્રકારનાં છે-એઇન્દ્રિય તેઇન્દ્રીય ચઉરીન્દ્રીય તથા પંચેન્દ્રિય. જે જીવામાં સ્પન તથા જીભ એ ઇન્દ્રીયા હાય તે એઇન્દ્રીય. એવી જ રીતે જેએ સ્પન જીભ તથા નાક એ ત્રણ ઇન્દ્રિયાવાળા હોય તે તેઇન્દ્રિય કહેવાય છે. તેમાં આંખ ઉમેરાતાં ચાર ઇન્દ્રિયવાળા જીવા તથા સ્પર્શીન જીભ, નાક આંખ તથા કાનવાળા જીવા પચેન્દ્રિય કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૩
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy