SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ તત્વાર્થસૂત્રને સનકુમાર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મલેક (૬) લાન્તક (૭) મહશુક (૮) સહસાર (૯) આનત (૧૦) પ્રાણુત (૧૧) આરણ અને (૧૨) અચુત ૨૦મી તત્વાર્થદીપિકા—ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દે પૈકી પહેલા ભવનપતિ, વાનવ્યન્તર અને તિષ્ક દેવની પ્રરૂપણ કરવામાં આવી હવે બાર પ્રકારના કાપપન્ન દેવેનું કથન કરવા માટે કહીએ છીએ– કલ્પોમાં અર્થાત્ બાર દેવલેકમાં જે ઉત્પન્ન થયા હોય તે દેવે કપન્નક કહેવાય છે. જે પિતાની અંદર રહેનારાઓને જેઓએ વિશેષ રૂપથી દાન, શિયળ, તપ અને ભાવનાનું આસેવન કરીને પૂર્વભવમાં પુણ્યરાશિ પ્રાપ્ત કરી છે તેમને સુકૃતી-પુણ્યાત્મા માને છે તેમને આદર કરે છે તથા તેમને આલંબન પ્રદાન કરે તેમને વિમાન કહે છે. વિમાનોમાં ઉત્પન્ન થનાર વૈમાનિક કહેવાયા છે અને તેઓ બાર પ્રકારના –(૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાન્તક (૭) મહાશુક (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ અને (૧૨) અચુત આ ક વયમાણ પ્રકારથી વ્યવસ્થિત છે જેમ કે–જ્યોતિચ્ચક્રની ઉપર અસંખ્યાત કલાકરોડ જન જઈએ ત્યારે સૌધર્મ અને ઇશાન દેવલોક આવે છે. જે પ્રદેશમાં સૌધર્મ ક૫ દક્ષિણદિગવતી છે તે જ પ્રદેશની નજીક ઉત્તરદિગવતી ઇશાન કર્યું પણ છે. આ બંને જ કપ પ્રત્યેક અર્ધચન્દ્રાકારે સમશ્રણમાં આવેલા છે. એમની ઉપર અસંખ્યાતા કડાકડ જન જવાથી એવી જ રીતે સનસ્કુમાર કપ અને મહેન્દ્ર ક૯૫– એ બંને પણ અર્ધચન્દ્રાકારથી સમશ્રેણિમાં સ્થિત છે એમની ઉપર બ્રહ્મ, લાન્તક, મહાશુક અને સહસ્ત્રાર એ ચાર કલ્પ એક એકના પ્રત્યેક અસંખ્યાત અસંખ્યાત જન જવાથી આવે છે અને સહસાર ક૯૫ની ઉપર આનત-પ્રાકૃત એ બે દેવલોક તથા એમની ઉપર આરણ અને અચુત એ ચારે ક ––બે યુગલ રૂપથી સૌધર્મ અને ઈશાન દેવકની જેમ અર્ધચન્દ્રાકારથી સમશ્રેણિમાં સ્થિત છે. આ પ્રમાણે બારે દેવલોક વ્યવસ્થિત છે પર તત્વાર્થનિર્યકિત–પ્રથમ સામાન્યથી પ્રતિપાદિત ચાર પ્રકારના જે ભવનપતિ, વાનવ્યન્તર-તિષ્ક અને વૈમાનિક છે તેમાં વિશેષતઃ ક્રમથી ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક રવાની પ્રકૃપણ કરી દેવામાં આવી છે. હવે વૈમાનિક દેવેની વિશેષ રૂપથી પ્રરૂપણ કરવા માટે કપાપપન અને કલ્પાતીતના ભેદોને લઈને બે પ્રકારના વૈમાનિકોમાં પ્રથમ ગ્રહણ કરેલા કોપપન્ન વૈમાનિક દેવેનું પ્રરૂપણ કરીએ છીએ કાપપન્ન દેવ—સૌધર્મ—ઈશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રા-લાન્તક-મહાશુક-સહસારઆનત-પ્રાણત-આરણ-અયુતના ભેદથી બાર પ્રકારના હોય છે. કપમાં અર્થાત બાર પ્રકારના દેવલોકમાં જે ઉત્પન્ન થાય છે તેઓ ક૯પપપન વિમાનિક દેવ કહેવાય છે, વૈમાનિકને અર્થે થાય છે વિમાનમાં રહેનારા દેવ, વિશેષ રૂપથી પોતાનામાં રહેલાં પૂર્વોપાર્જિત પુણ્યશાળી પ્રાણિઓને માને છે અર્થાત્ આદર-સન્માન કરે છે, ધારણ કરે છે તેમને વિમાન કહે છે અને વિમાનમાં થનારા દેવ વૈમાનિક કહેવાય છે. આ વૈમાનિક દેવ સૌધર્મ આદિ બાર કલ્પમાં હોવાથી દેવ પણ બાર પ્રકારના કહેવામાં આવે છે. બાર ક૯પ આગળ ઉપર કહેવામાં આવનારાં પ્રકારથી વ્યવસ્થિત છે— શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૪૮
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy