SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪. દેના ભેદોનું કથન સૂ. ૧૬ ૨૩૯ સંવેગ-વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે તાત્પર્ય એ છે કે આરંભ પરિગ્રહ વગેરેમાં દોષ જેવાથી તેમના પ્રતિ અરુચિ અને ધર્મમાં બહુમાન ઉત્પન્ન થાય છે. શરીર-ભોગ અને સંસારથી વિરક્તિ થાય છે, વિમુખતા થાય છે અને ઉગ ઉત્પન્ન થાય છે મનપા “રેવા જffટવા, માધવ ઈત્યાદિ સૂ. ૧૬ સૂત્રાર્થ–દેવ ચાર પ્રકારના છે-ભવનપતિ, વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિક ૧૬ તત્વાર્થદીપિકા–જીવ વગેરે નવ તત્ત્વમાંથી ક્રમ પ્રાપ્ત ચોથા પુણ્યતત્ત્વની પ્રરૂપણા કરીને પુણ્યના ફળથી પ્રાપ્ત થનારી દેવગતિની પ્રરૂપણ કરવાના આશયથી સર્વપ્રથમ દેના ભેદ કહીએ છીએ દેવ ચાર પ્રકારના છેભવનપતિ વાણવ્યંતર તિષ્ક અને વૈમાનિક આભ્યન્તર કારણે દેવગતિ નામ કર્મનો ઉદય થવાથી બાહ્ય વિભૂતિઓથી દ્વીપ પર્વત સમુદ્ર આદિ પ્રદેશમાં ઈચ્છાનુસાર જે કીડા કરે છે તેઓ દેવ કહેવાય છે (પચાદિ ગણ)માં પાઠ હોવાથી દેવ શબ્દમાં અમ પ્રત્યય થયો છે. જેના પૂર્વોક્ત ચારે પ્રકાર છે. તત્વાર્થનિર્યુકિત-પ્રથમ વિસ્તારપૂર્વક પુણ્યતત્ત્વની પ્રરૂપણ કરવામાં આવી. હવે પુણ્યકર્મના ફળ દેવગતિની પ્રરૂપણ કરવા માટે સર્વપ્રથમ દેના ભેદ કહેવામાં આવે છે. દેવગતિ નામક પુણ્ય નામકર્મના ઉદયની દ્વિીપ પર્વત વગેરે પ્રદેશોમાં જેઓ કીડા કરે છે તેઓ દેવ કહેવાય છે. સ્વૈરવિહારી સ્વભાવવાળા હોવાથી તેમનું મન હમેશા કીડામાં આસક્ત રહેલું હોય છે. અથવા વીરચત્તિને અર્થ છે-જોતજો. અત્યન્ત તેજવાન હોવાથી અને હાડકાં, માંસ, લેહી, મજજા આદિથી રહિત હોવાના કારણે જેમના બધા અંગોપાંગ અત્યન્ત નયનરમ્ય હોય છે તેઓ દેવ કહેવાય છે. અથવા વિદ્યા, મંત્ર અને વશીકરણ વગર જ પૂર્વે કરેલાં તપના પ્રભાવથી તેઓ જન્મકાળથી જ વગર આધારે આકાશમાં વિચરે છે તેઓ દેવ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્ર અનુસાનુર “દિવ’ ધાતુના અનેક અર્થ થાય છે જેવા કે- કીડા, વિજિગીષા (વિજ્યની આકાંક્ષા), વ્યવહાર, ઘુતિ, સ્તુતિ, મદ, મદ, સ્વમ, કાન્તિ અને ગતિ. દેવોની વિશિષ્ટ ગતિનું વર્ણન આગમમાં કરવામાં આવ્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞમિ-ભગવતીસૂત્રના અગીયારમાં શતકના દશમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે– પ્રશ્ન–ભગવાન ! લેક કેટલે મેટો છે? ઉત્તમ-ગૌતમ! આ જંબૂદ્વીપ નામને દ્વીપ સંમસ્ત દ્વીપ અને સમૂદ્રોની અંદર છે અને બધાથી નાનું છે. કેઈ કાળ અને કઈ સમયમાં છ મહાન રિદ્ધિના ધારક દેવ જમ્મુદ્વીપમાં, મેરૂપર્વતના શિખરને ચારે બાજુથી ઘેરીને ઉભા હોય આ બાજુ ચાર મોટી દિકુકમારિઓ ચાર બાલિપિડ ને પકડીને જમ્બુદ્વીપના ચારે દ્વારોએ બહારની બાજુએ મુખ રાખીને ઉભી થઈને તે ચારેય બલિપિડેને એકી સાથે છોડી દે ત્યારે હે ગૌતમ ! તે છ દેવમાંથી એક–એક દેવ તે ચારે બલિપિણ્ડને ધરતી પર પડતાં પહેલાં જ શીવ્રતાપૂર્વક ઝીલી શકે છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨ ૩૯
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy