SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪. શુભનામકમ બાંધવા ! કારણેાનું કથન સૂ. ૭ ૨૧૭ છે. આ કથનના ભાવ એ છે કે અસયનસમ્યક્દૃષ્ટિ પણ વૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે, સયતાસ ચત પણુ અને સયત પણ વૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. આ કથનથી સ્પષ્ટ છે કે સમ્યક્દન પણ દેવાયુષ્યનુ કારણ હાઈ શકે છે. ૫દા 'काभाव भाज्जैय अविसंवादणजोगेहि सुनामकम्मं । સૂત્રા— —કાય ભાવ–મન, ભાષા-વચનની સરળતાથી તથા અવિસંવાદન પ્રસારણ-ઠગાઈ ન કરવાથી શુભનામ કર્મ બંધાય છે. ાછા તત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં દેવાયુ રૂપ પુછ્યકમના બંધાવાના કારણેાની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે શુભનામ કર્મ બંધાવાના કારણુ કહીએ છીએ— (૧) કાયની ઋજુતા (ર) ભાવ અર્થાત્ મનની ઋજુતા (૩) ભાષા અર્થાત્ વચનની ઋત્તુતા અને (૪) અવિસંવાદનકપટરહિત યથા પ્રવૃત્તિ. આ ચાર કારણેાથી શુભ નામકર્મ બંધાય છે. કાયની સરળતાને કાયઋજુતા કહે છે. તથા ભાવ અર્થાત્ મનની સરળતાને ભાવ ઋજુતા કહે છે. ભાષા અથવા વચનની સરળતાને ભાષા ઋજુતા કહે છે તથા ગૈા કરવા અથવા ઠગાઈ કરવી વિસ’વાદન છે, આને અભાવ અવિસંવાદન હોય છે આના યોગ-સમ'ધને અવિસંવાદનયાગ કહે છે. તાત્પ એ છે કે આ ચારે કારણેાથી શુભનામ કમ બંધાય છે જે સાડત્રીશ (૩૭) શુભપ્રકૃતિથી ભાગવી શકાય છે. ાછા તત્ત્વાથ નિયુકિત—મની અગાઉ બતાવાયું કે સરાગસંયમ, સયમાસયમ, અકામનિર્જરા અને ખાલતપસ્યા વગેરે દેવાયુ રૂપ પુણ્ય કર્મ બાંધવાના કારણ છે. હવે શુભનામ કના ચાર કારણેાનુ’ કથન કરીએ છીએ— (૧) કાયામાં વક્રતા ન હેાવી કાયની ઋજુતા કહેવાય છે. (૨) ભાવ અર્થાત્ મનમાં કુટિલતા ન હેાવી ભાવની ઋજુતા ભાષા અર્થાત્ વચનમાં કુટિલતા ન હેાવી ભાષાની ઋજુતા તથા (૩) ઠગવું, ધૂતવુ', દગે। દેવા-અન્યની સાથે છળકપટ કરવુ વિસંવાદન કહેવાય છે. આ પ્રમાણે ન કરવું તે અવિસંવાદન કહેવાય છે અર્થાત્ કાયા સંબંધી કુચેષ્ટાનું ન હેાવુ' કાયની ઋજુતા છે, કાયાની કુચેષ્ટાના આશય એ છે કે—શરીરના કોઈ અંગને વિકૃત કરવું. જેમકે કુખડા થઈ જવું, ઠીંગણા (વે'તીયા) ખનવું, અંગોપાંગના ખરાબ ચેનચાળા કરવા–આંખા મારવી મેાઢું બગાડવું, નાક ચઢાવવું, સ્ત્રી, ભૃત્ય-નેકરચાકરની મશ્કરી કરવી વગેરે અસભાવાને પ્રદશિત કરીને બીજાની સાથે ઢગેા ન કરવા કાયની ઋજુતા કહેવાય છે. ભાવ અર્થાત્ મનમાં કપટ ન હેાવું ભાવની ઋજુતા છે, વચનથી કેાઈને છેડ ન દેવેા ભાષાની ઋજુતા છે. તાત્પર્ય એ છે કે મનમાં જે વિચાર આવ્યે હેાય તેને વચન દ્વારા તે જ રૂપમાં પ્રકટ કરવા અને તેને જ અનુરૂપ શારીરિક પ્રવૃત્તિ કરવી મન, વચન કાયાની સરળતા કહેવાય છે. (૩) તથા જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપે કહેવી અન્યથા સ્વીકાર કરીને અન્યથા ન કરવુ' તે જ રૂપે તેનું આચરણ કરવું અવિસંવાદ યાગ કહેવાય છે (૪) આ ચાર પ્રકારની પ્રવૃત્તિથી શુભનામ કર્મ બંધાય છે, તે શુભ નામ કમના વિષયમાં ભગવતીસૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમા કહ્યું છે— ૨૮ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૭
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy