SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪. બેંતાલીશ પ્રકારથી પુણ્યનાભેાગનું નિરૂપણુ સૂ. ૩ ૨૧૩ (૧૫) વૈક્રિયઅંગેાપાંગ (૧૬) આહારક અંગેાપાંગ (૧૭) વઋષભનારાચસહનન (૧૮) સમચતુરસ્રસ’સ્થાન (૧૯) શુભવણું (૨૦) શુભગધ (૨૧) શુભરસ (૨૨) શુભસ્પર્શ (૨૩) મનુષ્યાનુપૂર્વી (૨૪) દેવાનુપૂર્વી (૨૫) અગુરુલઘુ (૨૬) પરાઘાત (૨૭) ઉચ્છવાસ (૨૮) આતષ (૨૯) ઉદ્યોત (૩૦) સુપ્રશસ્ત વિહાયેાગતિ (૩૧-૪૦) ત્રસદશક અર્થાત્ ત્રસ, ખાદર પર્યાપ્ત, પ્રત્યેકશરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીતિ તથા (૪૧) તીર્થંકર પ્રકૃતિ અને (૪૨) ઉચ્ચગેાત્ર નિર્માણ—આ ખેતાળીશ પુણ્યપ્રકૃતિ કહેવામાં આવી છે. આશય એ છે કે પૂર્વપાર્જિત પુણ્યના ફળ સ્વરૂપ સાતાવેદનીયની પ્રાપ્તિ થાય છે એવી જ રીતે તિય ચાયુ મનુષ્યાયુ, દેવાયુ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તેજસ શરીર, કામણુ શરીર, ઔદ્યારિકશરીરાંગેાપાંગ, વૈક્રિયશરીરાંગેાપાંગ, આહારક શરીરાંગેાપાંગ, વ ઋષભનારા ચ સંહનન, સમચતુરસ્રસસ્થાન, શુભ (ઈષ્ટ) વર્ણ શુભગંધ, શુભરસ, શુભસ્પ, મનુષ્યાનુપૂર્વી દેવાનુપૂર્વી, અગુરુ લઘુનામ, પરાઘાતનામ, ઉચ્છ્વાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, પ્રશસ્તવિહાયેાગતિ, નિર્માણુનામ, તીથ કર નામ ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકશરીરનામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ યશઃ કીતિનામ અને ઉચ્ચગેાત્ર નામઆ ભેદોથી પુણ્યનું ફળ લાગવી શકાય છે. પ્રશા 'सायावेयणिज्जं पाणाणुकंपाइएहि ' સૂત્રા—પ્રાણાનુકમ્પા આદિ કારણેાથી સતાવેદનીય ક` બંધાય છે જા તત્ત્વાર્થે દીપિકા—પ્રથમ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સાતાવેદનીય વગેરે એતાળીશ પ્રકારના પુણ્યના ફળ ભેગવી શકાય છે. હવે એવું પ્રતિપાદન કરીએ છીએ કે તે એતાળીશ-ભેદેામાં સહુપ્રથમ ગણેલા સાતાવેદનીય કર્મીનું સ્વરૂપ શું છે ? અને તેનું કારણુ શું છે ? સાતાવેદનીય કર્મીની પ્રાપ્તિ પ્રાણિઓની અનુકમ્પા વગેરે કારણેાથી થાય છે. તેનુ ફળ કર્તા તેમજ ભેાક્તા આત્માને ઇષ્ટ—મનેાણ થાય છે. મનુષ્યજન્મ અથવા દેવાદિ જન્મામાં શરીર તથા મન દ્વારા સુખ-પરિણતિરૂપ થાય છે. આવનારા સમયમાં અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી તેનેા મનેાજ્ઞ પિરપાક થાય છે. અર્થાત્ જે કર્માંના પરિપાકથી અનુકૂળ અને અભિષ્ટ સુખ રૂપ અનુભૂતિ થાય છે તે સાતાવેદનીય કર્મ કહેવાય છે. પ્રાણિઓ પ્રત્યે અનુકમ્પા દાખવવાથી, ભૂત પર અનુકમ્પા કરવાથી, જીવા પર અનુકમ્પા કરવાથી, સત્ત્વા પર અનુકમ્પા કરવાથી તથા પ્રાણભૂત જીવ સત્ત્તાને દુ:ખ ન આપવાથી, (૧) શાક નહી પહોંચાડવાથી (૨) શરીર શૈાષાઈ જાય તેવા પ્રકારના શાક ન પહેાંચાડવાથી (૩) આંખમાંથી આંસુ' સરી પડે તેવા શેાકન કરાવવાથી (૪) લાકડી વગેરે આયુધાથી નહી મારીને (૫) શારીરિક માનસિક વ્યથા નહીં પહોંચાડવાથી (૬) આવી રીતે ચાર પ્રકારની અનુકમ્પા અને ૬ (છ) પ્રકારની અવેદનીયતા આદિ એવા દશ કારણેાથી સાતાવેદનીય કમાઁ બંધાય છે. ॥ ૪ ॥ તત્ત્વાર્થનિયુકિત—પુણ્ય શુભ કમ છે એ પહેલા કહેવાઈ ગયું છે. સાતાવેઢનીય આદિ ખેતાળીશ પ્રકારથી તેના ફળ ભેગવાય છે એવું પણ દર્શાવાયું છે. હવે પહેલા ગ્રહણ કરેલા સાતાવેદનીય કર્મીની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૩
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy