SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ. ૩. જ્ઞાનાવરણ અને દશનાવરણ કર્મપ્રકૃતિના ભેદોનું કથન ૧૭૯ શ્રુતજ્ઞાનને આવૃત્ત કરવાવાળા કર્મ કૃતજ્ઞાનાવરણ કહેવાય છે. આ કર્મ પણ દેશઘાતિ છે. અન્તર્ગત ઘણા પુદ્ગલદ્રાના અવધાનથી અવધિ કહેવાય છે અથવા પુદ્ગલદ્રવ્યોને જ જાણવાની મર્યાદાના કારણે અવધિ કહેવાય છે. આ ક્ષયપશમથી ઉત્પન્ન થાય છેઆમાં ઇન્દ્રિયેના વ્યાપારની અપેક્ષા રહેતી નથી, સાક્ષાત્ ય પદાર્થોને જાણે છે અને કાકાશના પ્રદેશની બરાબર અસંખ્યાત ભેદ છે. આ અવધિજ્ઞાનને ઢાંકવાવાળા કર્મ અવધિજ્ઞાનાવરણ કહેવાય છે. આ કર્મ પણ દેશઘાતિ જ છે. જે જ્ઞાન આત્માના મદ્રવ્યના પર્યાનું અવલમ્બન લઈને ઉત્પન્ન થાય છે, મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ સુધી જ જેને વ્યાપાર હોય છે, પલ્યોપમના અસંખ્યાત ભાગ પરિમિત આગળ પાછળ ભૂત-ભવિષ્યકાળને પુગલેને સામાન્ય તેમજ વિશેષ રૂપથી જાણે છે તે મન ૫ર્યવ જ્ઞાન કહેવાય છે, આ જ્ઞાનને ઢાંકવાવાળા કમ મન:પર્યવજ્ઞાનાવરણ કહેવાય છે. આ કર્મ પણ દેશઘાતિ છે. જે જ્ઞાન સમસ્ત આવરણના ક્ષયથી ઉત્પન્ન થાય છે અને સમસ્ત દ્રવ્યો અને પર્યાને જાણે છે તે કેવળજ્ઞાન કહેવાય છે તેને ઢાંકવાવાળા કર્મ જ્ઞાનાવરણ છે. કેવળજ્ઞાનાવરણ કર્મ સર્વઘાતી છે ૬ ___ 'दसणावरणिज्जं नवविह' बक्खुमाइमेओ ॥ सू. ७॥ મૂળ સૂવાથ-દર્શનાવરણીય કર્મ નવ પ્રકારના હોય છે ચક્ષુદર્શનાવરણીય વગેરે ભેદથી ૭ - તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણકર્મ રૂપ મૂળપ્રકૃતિબન્ધની મતિજ્ઞાનાવરણ આદિ પાંચ ઉત્તર પ્રવૃતિઓ દર્શાવવામાં આવી છે. હવે દર્શનાવરણ કર્મ રૂપ મૂળ પ્રકૃતિબન્ધની નવ ઉત્તર પ્રવૃતિઓ કહીએ છીએચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનના ચાર આવરણ તથા નિદ્રા, નિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલપ્રચલા અને સ્વાદ્ધિ આ દર્શનાવરણ કર્મની નવ ઉત્તર પ્રવૃતિઓ છે. આવી રીતે દર્શનાવરણ કર્મ નવ પ્રકારના છે–(૧) ચક્ષુદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ (૪) કેવળદર્શનાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલાપ્રચલા અને (૯) ત્યાનદ્ધિ છ ! તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણ કર્મની મતિજ્ઞાનાવરણ આદિ પાંચ પ્રકૃતિએનું નિરૂપણ કરવામાં આવ્યું, અને દર્શનાવરણના નવ ભેદ કહેવામાં આવે છે દર્શનાવરણ નામની જે કર્મની બીજી મૂળ પ્રકૃતિ છે, તેના નવ ભેદ છે. તે આ મુજબ–(૧) ચક્ષુદર્શનાવરણું (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ (૪) કેવળદર્શનાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રા નિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલાપ્રચલા અને (૯) સ્થાનદ્ધિ. જે ઉંઘ સહેલાઈથી તુટી જાય તે નિદ્રા કહેવાય છે. નિદ્રારૂપ-અનુભવ કરવા લાયકને નિદ્રા કહે છે. જે ઉંઘ મુશ્કેલીથી ઉડે તે ગાઢી ઉંઘ નિદ્રાનિદ્રા છે. ઉભા ઉભા અથવા બેઠાબેઠા આવતી ઉંઘ પ્રચલા છે, જે ઉંઘમાં વિચારેલું કાર્ય કરી નાખવામાં આવે છે તે સ્થાનદ્ધિ નિદ્રા કહેવાય છે. આમ પાંચ નિદ્રાઓ તથા ચાર ચક્ષુદર્શનાવરણ વગેરે મળીને દર્શનાવરણના નવ ભેદ હોય છે. - જેના દ્વારા આત્મા જોવે છે તેને ચક્ષુ કહે છે. બધી ઇન્દ્રિઓ સામાન્ય-વિશેષ બેધ સ્વરૂપ આત્માને માટે કારણ છે-રૂપાદિને ગ્રહણ કરવાના દ્વાર છે. ચક્ષુરૂપી દ્વારથી થનાર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૯
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy