SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨. પરિણામનું નિરૂપણ સૂ૦ ૩૧ ૧૬૧ સ્થઓમાં અનુવર્તન જોવામાં આવે છે અને સુવર્ણદ્રવ્યના કટક, કુડળ વલય રૂપક વગેરે બધી અવસ્થાઓમાં અન્વય-પ્રત્યક્ષ જોવામાં આવે છે. આવી જ રીતે ઘટ આદિ તથા કુંડળ આદિ માટીથી અને સુવર્ણ દ્રવ્યથી વ્યાપ્ત રહે છે. ધર્માદિ દ્રવ્ય પણ આવી જ રીતે પિતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતા થકા જ ગતિ સહાયકત્વ વગેરેમાં અનુવર્તન કરે છે. અનુવૃત્તિ રૂપ હોવાથી આ સામાન્ય સ્થિતિ-અંશથી વ્યાપ્ત રહે છે. કેઈ પણ દ્રવ્યના ઉત્પાદ અગર વ્યાપ્તિ સામાન્ય સ્થિતિ-અંશથી અવ્યાપ્ત હોતાં નથી. - આજ પ્રમાણે ધર્મદ્રવ્યનું જ પિતાની એક અવસ્થાથી બીજી અવસ્થામાં પરિણત થવું પરિણામ છે, એવું નથી કે ધર્મદ્રવ્ય કેઈ બીજા અધર્મદ્રવ્ય વગેરેની અવસ્થામાં પરિણત થઈ જાય આવી જ રીતે અધર્મદ્રવ્ય પિતાની જ એક અવસ્થાથી બીજી અવસ્થામાં પરિણત થાય છે. તે ધર્મ વગેરે કેઈ અન્ય દ્રવ્યની અવસ્થા રૂપમાં પરિણુત થતા નથી. આ જ રીતે આકાશ વગેરે દ્રવ્યોનો પણ પિત–પતાની અવસ્થાઓમાં પરિણમન થતું હે છે અર્થાત્ એકથી બીજી અને બીજીથી ત્રીજી અવસ્થા થતી રહે છે. આને જ પરિણામ સમજવું જોઈએ. ધર્માસ્તિકાય પોતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે થકો જ ગમન કરનારની ગતિમાં સહાયક રૂપથી પરિણત થાય છે અધર્માસ્તિકાય પિતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે યકે સ્થિત થનારાની સ્થિતિમાં સહાયક રૂપથી પરિણત થાય છે. આકાશ પણ પોતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે થકે જ અવગાહ કરનારને અવગાહના આપે છે. કાળ જ્યેષ્ઠ અને કનિષ્ઠ આદિમાં પરત્વ અને અપરત્વ ઉત્પન્ન કરીને ગત કાળ ભવિષ્ય કાળ, સમય, ક્ષણ પલકાર, દિવસ, રાત્રિ, પખવાડીયુ મહીને, અયન વર્ષ વગેરેના વ્યવહાર કારક રૂપથી પરિણત થાય છે, પુદ્ગલ પણ દારિક આદિ શરીર આદિ રૂપ, રસ ગંધ સ્પર્શ આદિ રૂપથી પિતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે થકે પણ પરિણત થાય છે. જીવ-જ્ઞાન-દર્શન-ઉપયોગ રૂપથી તથા નારકી દેવતા મનુષ્ય તિર્યંચ રૂપથી પોતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે થકે જ પ.િ સુમન કરે છે. આવી જ રીતે શુકલ વગેરે ગુણ વર્ણ આદિ સામાન્ય સ્વરૂપને ત્યાગ ન કરતા થકા જ કૃષ્ણ આદિ રૂપથી પરિણત થાય છે. ઘટ પર્યાયમાં પિતાના સામાન્ય મત્તિકા સ્વભાવને પરિત્યાગ ન કરતા થકા જ ઠીંકરા અવસ્થાને પ્રાપ્ત કરે છે. આવી જ રીતે ઠીંકરા વગેરે પર્યાય પણ નાની દીકરીઓ ટુકડા કેરુ સ્થાસ કેશ કુશૂલ શરાવ ઉદંચન વગેરે રૂપથી સામાન્ય મૃત્તિકા સ્વભાવને પરિત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે. આવી જ રીતે પરમાણુ પણ, રસ ગંધસ્પર્શ આદિ રૂપથી અગર દ્વયાક વિગેરે સ્કન્ય રૂપથી પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે. આમ બધાં દ્રવ્ય સંદેવ સૂમ બાદર ઉત્પાદ વ્યયરૂપથી સ્થિતિ અંશ રૂપ સામાન્ય પરિત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે. પરિણામ બે પ્રકારના છે અનાદિ અને સાદિ અરૂપી ધર્મ અધર્મ આકાશ કાળ અને જીવ આ પાંચ દ્રવ્યમાં અનાદિ પરિણામ જાણવા જોઈએ, ૨૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૬૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy