SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ તત્વાર્થસૂત્રને પર્યાયોથી રહિત દ્રવ્ય અને પર્યાથી રહિત પર્યાય. કયાં, કયારે, કયા સ્વરૂપે, ક્યા પ્રમાણથી જોયાં છે ? અર્થાત કદી જોઈ જ શકાતા નથી જ્યાં દ્રવ્ય છે ત્યાં પર્યાયની સત્તા અને જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્યની સત્તા અવશ્ય હોય છે. વિશેષથી રહિત, સામાન્ય રૂપ બ્રોવ્ય અંશ એકલું ગ્રહણ કરી શકાતું નથી અને ન તે સામાન્ય અંશ વગર વિશેષ અંશ જ કશે પણ ગ્રહણ કરી શકાય છે. આથી ધ્રૌવ્યરૂપ સામાન્ય અવશ્ય સ્વીકારો જોઈએ અને વિશેષ અંશને પણ અવશ્ય અંગીકાર કરવો જોઈએ. બધાં પદાર્થો હંમેશ સરખા હોતાં નથી. જે તે સરખાં હતા તે તેમનામાં કોઈ પણ પ્રકારની અસમાનતા થઈ જ ન શકે, આવી પરિસ્થિતિમાં એક વસ્તુ બીજી વસ્તુથી જુદી કેવી રીતે પ્રતીત થશે ? તેમનામાં કઈ પણ રૂપમાં ભેદ તો છે નહીં તો પછી ભેદ પ્રતીતિનું કારણ શું છે? આથી જે વિદ્વાન ભેદને સ્વીકાર કરે છે તેણે કઈ ને કઈ રૂપમાં વિરૂપતા, ઉત્પાત અને બીજા પણ અવશ્ય અંગિકાર કરવા જોઈએ અને બધા પદાર્થો હમેશા સામાન્ય વિશેષાત્મક જ છે એવું માનવું જોઈ છે. સામાન્ય અને વિશેષના લક્ષણમાં ભેદ હોવા છતાં પણ બંનેમાં સર્વથા ભેદ નથી કારણ તેઓ વસ્તુથી અભિન્ન છે. એક વસ્તુને જે વસ્તુત્વની અપેક્ષાએ પણ બીજી વસ્તુથી સમાન ન માનવામાં આવે તો એક વસ્તુ અવસ્તુ થઈ જાય અને તદવિનાભાવી હોવાથી બીજી વસ્તુને પણ અભાવ થઈ જશે. આવા સંજોગોમાં સર્વશૂન્યતાની મુશ્કેલી આવશે અર્થાત કેઈપણ વસ્તુની સત્તા સાબીત થશે નહીં સર્વશૂન્યતા અભીષ્ટ નથી આથી સર્વશૂન્યતાના ભયથી સામાન્ય અને વિશેષમાં કથંચિત વત્વની દૃષ્ટિથી પણ સરખામણી સ્વીકારવી જોઇએ. આથી એ સાબીત થયું કે બધાં પદાર્થ સામાન્ય વિશેષ સ્વભાવવાળા છે. સામાન્ય અને વિશેષમાં પરસ્પર સ્વભાવ વિરહને અભાવ હોવાથી, એકરૂપતા હોવાથી પણ ધમભેદની સિદ્ધિ હવાનું કારણ સમસ્ત વ્યવહારની સિદ્ધિ થઈ જાય છે. આવી રીતે એ સાબિત થયું કે ઉત્પાદ. વ્યય અને ધ્રૌવ્યરૂપ સત દ્રવ્યનું લક્ષણ છે. સ્થાનાંગસૂત્રમાં સ્થાન ૧૦માં કહ્યું છે–વસ્તુ ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને કાયમ પણ રહે છે. જે ૨૫ છે તભાવ નિર' રા. મૂળસૂવાથ–વસ્તુનું પિતાના મૂળસ્વરૂપથી નષ્ટ ન થવું નિત્ય છે. તત્વાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળી વસ્તુ જ સત છે. અહીં ધ્રૌવ્યને અર્થ નિત્ય છે આથી નિત્યનું લક્ષણ કહીએ છીએ જે વસ્તુ જે સ્વભાવમાં પહેલા જોવાય છે તે જ સ્વભાવમાં તે પુનઃ પણ જોઈ શકાય છે. “આ તે જ વસ્તુ છે એ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન થાય છે. પહેલા દેખાએલી વસ્તુ જ્યારે પુનઃ આંખની સામે આવે છે ત્યારે “તે આ જ છે એ પ્રકારનું પ્રત્યક્ષ અને સ્મરણના જોડાણ રૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન કહેવાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૪
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy