SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ સ્કંધગા ચક્ષુગ્રાહ્ય થવાનુ નિરૂપણુ સૂ. ૨૩ ૧૩૯ આદિ સ્થૂળની ઉત્પત્તિ થાય છે. જો પરમાણુ માત્ર જ રહે તેમાં કઇ વિશેષતા ઉત્પન્ન હોય તા સ્થૂળની ઉત્પત્તિ થઈ શકતી નથી. આ રીતે સ્વગત ભેદના સ્વીકાર કરવાથી કોઈ પણ વસ્તુઓમાં સર્વથા અભેદની શકયતા રહેતી નથી તેમજ ન તા તેમનામાં સર્વથા ભેદ જ છે, પરંતુ કંઇક સમાનતા પણ છે. o ઇંદ્રિયજનિત પ્રત્યક્ષના વિષય થવારૂપ પરિણામમાં જ માત્ર કારણ હોતું નથી પરંતુ વિશિષ્ટ પ્રકારના અનન્ત સંખ્યક પરમાણુઓના સઘાતથી ઉત્પન્ન થનારી સ્થૂળ પરિણતિ અમુક–અમુક ઇંદ્રિયાના વિષય અને છે આથી ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષને વિષય થવામાં કેવળ સંધાત જ કારણ નથી તેમજ ન તો કેવળ પિરણામ જ કારણ છે. વરત્ ભેદ અને સંધાત અને જ્યારે એક જ કાળમાં હાય છે ત્યારે જ સ્કંધ ચાક્ષુષ હેાય છે. અહીં ચક્ષુ શબ્દથી બધી ઇન્દ્રિયાને ગ્રહણ કરી લેવી જોઇએ અને એ પણ સમજી લેવુ' જોઇએ કે સ્પ, રસ, ગંધ અને શબ્દ પણ પૂક્ત પરિણતિથી યુક્ત, થઈને જ સ્પના, રસના (જીભ ઘ્રાણુ (નાક) અને શ્રોત્ર (કાન) ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવે છે. જે હ્રયણૂકથી લઈને અનન્ત પરમાણુ સુધી સૂક્ષ્મ સ્કંધ અચાક્ષુષ છે તે પૂર્વોક્ત ત્રણ પ્રકારનાં કારણથી અર્થાત્ સંઘાતથી ભેદથી અને સંધાત-ભેદ (અને)થી ઉત્પન્ન થાય છે. શંકા—જે સ્કન્ધ ખાદર છે, તેએ જ સૂક્ષ્મ કેવી રીતે કહી શકાય ? સમાધાન—પુદ્ગલાનું પરિણમન ઘણુ વિચિત્ર હેાય છે. તે જ પુદ્ગલ દાચિત્ મેઘ ઇંદ્રધનુષ્ય, વીજળી વગેરે ખાદર પરિણામને ધારણ કરે છે અને કયારેક તે એવું સૂક્ષ્મ રૂપ પણ ધારણ કરી લે છે કે ઈંદ્રિય દ્વારા ગ્રાહ્ય હાતાં નથી. કદી કદી તેમનામાં એવું પરિણમન થઈ જાય છે કે એક ઇંદ્રિયને બદલે કોઈ બીજી ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય બની જાય છે. દા. ત. મીઠુ હીંગ વગેરે. મીઠું તથા હીંગ પહેલા ચક્ષુગ્રાહ્ય હેાય છે પર`તુ પાણીમાં મળી જવાથી ચન્નુગ્રાહ્ય રહેતાં નથી, રસનાગ્રાહ્ય જ રહી જાય છે. કોઈ-કાઇ સૂક્ષ્મ રૂપમાં ઉત્પત્તિ થઈ ને એવા જળધરના આકાર ધારણ કરી લે છે કે જે આકાશમાં બધી દિશાઓમાં ફેલાઇ જાય છે. આ રીતે પુદ્ગલાના પરિણમનની વિચિત્રતાના કારણે સ્થૂળનું સૂક્ષ્મ અને સૂક્ષ્મનું સ્થૂળ થઈ જવું લગીર પણ આશ્ચર્યજનક અથવા અસંગત નથી.!! ૨૩૫ મૂત્ર—‘સદ્ ર્જ્વલા' રા મૂળ સૂત્રા—દ્રવ્યનું લક્ષણ સત્ હાય છે. ॥ ૨૪ ॥ તત્વા દીપિકા-પહેલા ધર્મ અધમ આકાશ, કાળ, પુદ્ગળ અને જીવ આ છ દ્રવ્યેાના વિશેષ લક્ષણાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેમના સામાન્ય લક્ષણ કહીએ છીએ— દ્રવ્યનુ લક્ષણ સત્ છે અર્થાત્ જે સત્ છે તે જ દ્રવ્યનુ લક્ષણ છે એ રીતે સત્ય દ્રવ્ય સામાન્યનું-સ્વરૂપ છે વ્યખ્યાપ્રજ્ઞપ્તિ–(ભગવતી) સૂત્રમાં કહ્યું પણ છે—સત્ દ્રવ્ય કહેવાય છે. ૨૪ તત્વાથ નિયુકિત—પહેલા ધમ આદિ દ્રવ્યાની ગતિ-ઉપગ્રહ સ્થિતિ ઉપગ્રહ અવગાહઉપગ્રહ આદિ વિશેષ લક્ષણ કહેવાઇ ગયા છે હવે સમસ્ત દ્રવ્યવ્યાપક લક્ષણ કહીએ છીએ— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૩૯
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy