SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ તત્વાર્થસૂત્રને એકત્વ અર્થાત સંઘાત અને પૃથકત્વ અર્થાત ભેદથી સ્કંધ ચાક્ષુષ પ્રત્યક્ષના વિષય બની જાય છે, ભેદથી ચાક્ષુષ હેતા નથી. અચાક્ષુસ પૂર્વોક્ત સંઘાતથી, ભેદથી અને સંઘાત ભેદથી હોય છે. ૨૩ તત્વાર્થનિર્યુકિત–ભેદ અને સંઘાતથી ચક્ષુ ઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય સ્કંધ ઉત્પન્ન થાય છે. એવું ન સમજવું જોઈએ કે ભેદ અને સંઘાતથી ઉત્પન્ન થનારા બધા સ્કંધ ચાક્ષુષ જ હોય છે. ભેદ અને સંઘાતથી તે ચાક્ષુષ સ્કેની પણ ઉત્પત્તિ દેખી શકાય છેઆથી નિયમ એ છે કે સ્વતઃ જ પરિણમનની વિશિષ્ટતાના કારણે ચક્ષુઈન્દ્રિયના ગોચર થનારા બાદર સ્કન્ધ સંઘાત અને ભેદ દ્વારા ઉત્પન્ન થાય છે. આ રીતે બધાં સ્કન્ધ ચક્ષુગ્રાહ્ય હેતા નથી, પરંતુ અનન્તાનન્ત પરમાણુઓના સંઘાતથી બનનારા પુદ્ગલસ્ક ધ પણ જે બાદર પરિણામવાળા હોય છે તે તે નેત્રોચર થઈ શકે છે, સૂક્ષમ પરિણામવાળા નહીં. બાદર પરિણામ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે સૂક્ષમ પરિણામ દૂર થઈ જાય છે. બાદર પરિણામ થવાથી જેમ કેટલાંક પરમાણુ તેમાં મળે છે. તે જ રીતે કેટલાંક જુદા પણ થાય છે આ કારણે સંઘાત અને ભેદ દ્વારા જ ચાક્ષુષ સ્કન્ધની નિષ્પત્તિ થાય છે, ન તે એકલા સંઘાતથી અથવા ન એકલા ભેદથી સૂક્ષમ પરિણામવાળા ઔધને ભેદ થવા છતાં પણ તે અચાક્ષુષ જ બન્યા રહે છે અને તે કારણે તે અચાક્ષુષ જ રહે છે. પરંતુ બીજા કોઈ સૂમિ સ્કંધ ભેદ થવાથી બીજા સ્કંધમાં મળી જાય છે, તે વખતે તેનું સૂક્ષમ પરિણામ ચાલ્યું જાય છે, તેમાં બાદર પરિણામ ઉત્પન્ન થઈ જાય છે અને તે ચક્ષુગ્રાહ્ય બની જાય છે. શંકા–અચાક્ષુષ પરમાણુઓને સમુદાય ત્રણ પરમાણુમાત્ર જ હોય છે. તે કોઈ પ્રકારની વિશેષતા ઉત્પન્ન થયા વગર કઈ રીતે ચાક્ષુષ થઈ શકે છે? સમાધાન–બધી વસ્તુઓના હાજર પરિણામથી કઈ બીજુ પરિણામ ઉત્પન્ન થાય છે તે તે જુદું જ હોય છે. આ રીતે પરમાણુ રૂપ પરિણમનથી ચાક્ષુષ પરિણમન ભિન્ન જ છે. પરમાણું પિતાના પરમાણુત્વ-પરિણામને ત્યાગ કરીને સ્નિગ્ધતા- રુક્ષતાથી સ્થૂળ પરિણમનને પ્રાપ્ત કરી લે છે. સ્કન્ધામાં યથાસંભવ આઠે પ્રકારના સ્પર્શ કહેવામાં આવ્યા છે. પરમાણુઓમાં સ્નિગ્ધ, રુક્ષ, શીત અને ઉષ્ણ આ ચાર સ્પર્શ જ હોય છે એમાંથી પણ પરસ્પર અવિરેધી બે સ્પર્શ જ એક પરમાણમાં હોય છે. બન્ધ રૂપ પરિણતિ માટે સ્નિગ્ધતા અને રુક્ષતા એ બંને સ્પર્શેની જ જરૂરીયાત છે, કઈ પરમાણુ સૂક્ષ્મ પરિણામવાળા તે કઈ સ્નિગ્ધ પરિણામવાળા હોય છે સ્નિગ્ધતા અને રક્ષતા પરસ્પર વિરોધી ધર્મ છે તેઓ એક પરમાણુમાં રહી શકતાં નથી. તેમાં પણ કઈ પરમાણુ એક ગુણ સ્નિગ્ધ હોય છે, કેઈ બે ગુણ સ્નિગ્ધ હોય છે તેવી જ રીતે કેઈ અનન્ત ગુણ સ્નિગ્ધ ચિકણું પણ હોય છે. આવું જ રુક્ષતાના વિષયમાં પણ સમજવું જોઈએ. સામાન્ય રૂપથી બધાં પરમાણું સજાતીય જ હોય છે. કેઈ વિજાતીય હેતાં નથી. કારણ કે બધાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ગુણવાળા હોય છે. એ રીતે રુક્ષતા અને સ્નિગ્ધતા ગુણના કારણે પરમાણુઓનો કઈ અન્ય દ્રવ્યની સાથે બન્ધ થાય છે અને તે બન્ધ વિશેષથી ઘટ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧ ૩૮
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy