SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે જ જીવમાત્ર સુખની શેષમાં ને શેાધમાં જ રખડતા રહ્યો છે ને ભવેભવમાં પુગળના સુખા પછવાડે આથડી રહી, અનંત દુ:ખને વેદી રહ્યો છે. છતાં પોતાના અંતરમાં રહેલાં સુખને આળખતા નથી. જ્ઞાનીએએ કહ્યુ` છે કે “ હે જીવ! ભૂલ મા, તને સત્ય કહુ છું. સુખ અતરમાં છે. તે બહાર શેાધવાથી નહિ મળે. અંતરનુ સુખ અંતરની સ્થિતિમાં છે, સ્થિતિ થવા માટે ખાહ્ય પદાર્થી સંબંધીનું આશ્ચય ભૂલ, સ્થિતિ રહેવી બહુ મુશ્કેલ છે, નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એના દૃઢ ઉપયાગ રાખવા જોઈએ. એ ક્રમ યથાયેાગ્ય ચાલુ રાખીશ તે તું મુંઝાઇશ નહિ. નિર્ભીય થઇશ.'' હે જીવ! તું ભૂલમાં વખતે વખતે ઉપયેગ મુકી કાઈને રંજન કરવામાં, કાઇથી રંજન થવામાં, અથવા મનની નિખ`ળતાને લીધે અન્ય પાસે મદ થઈ જાય છે, એ ભૂલ થાય છે તે ન કર.” મધુર સ્વર સાંભળવાની લાલચમાં હરણુ પાધિઓ વડે પકડાય છે (૧). રૂપના મેહમાં તણાઈ જવાથી પતંગીઊ આગમાં ઝંપલાવે છે, અને મળીને ખાખ થાય છે (ર). ગંધ મેળવવાની ઇચ્છાએ, ભમરા ફૂલ તરફ આકર્ષાય છે અને પરિણામે સધ્યાકાએ ખીડાઈ જઈ હાથીના કાળીયા થઈ જાય છે (૩). જીભને વશ થનારી માછલી àાઢાના સળીયા પર, વીંટાળેલા માંસની ગેાળીઓને ખાવા જતાં કાંટા માઢામાં લે છે ને અંતે મરી જાય છે અને માછીમારા તેને લઈ જાય છે (૪). હાથી હાથણીને સ્પર્શે કરવા દોડે છે પણ હાથણીને બદલે ખાડા ઉપર પાટીયા ગાઠવી તેના ઉપર રાખેલી લાકડાની કૃત્રિમ હાથણીને અડવા જતાં, સ્વયં પોતાના ભાર વડે લાકડાં તુટી જતાં, ખાડામાં પડી મરી જાય છે, ને મારા ફકત એક જ ઇન્દ્રિયને પાષવા જતાં આ હાલતને પામે છે તે જેની પાંચે શું સ્થિતિ કલ્પવી ? અપ્રતિષ્ઠાનનારક નામકોષ્ટાદશો ભવઃ । તેના જંતુશળા કાઢી લે છે. આ જીવા ઇન્દ્રિયા મુક્ત રીતે વહે છે તેની તે શય્યાપાલકના ક્રમેાતના વિચાર કરી, વિવેકી જનાએ ઇન્દ્રિયાધીન સુખાથી પાછા હટવુ જોઇએ. વાસુદેવ ત્રિપૃષ્ઠે પણ મહાન ક્રોધના પરિણામે અને પૌદ્ગલિક સુખની તીવ્ર લાલસાએ, અનેક પાપાચાર કર્યા જેના પરિણામે અધમમાં-અધમ એવા સાતમે નરકે જઇને પડયા. માટે ક્રોધના પરિણામેાના વિચાર કરી કષાયમાંથી હટી જવા યત્નશીલ રહેવુ જોઇએ. જગતના કોઈપણ સુખના પ્રત્યાઘાતરૂપે દુઃખ જ છે. એવા અનુભવ જ્ઞાને સમજાય છે. આવી સમજણુ અજ્ઞાનીને તેા હાતી જ નથી પણ વિચારવંત માણસે પેાતાના જીવનકાળ દરમ્યાન જરૂર અનુભવ્યુ હશે. સામાન્ય દુઃખ ભાગવવું આકરુ` થઇ પડે છે, તા સાતમી નરકનું દુઃખ કેવું હશે? તેના વિચાર માત્ર જ આપણને અકળાવી મૂકે છે. જે માનવ દુઃખના સાચા સ્વરૂપને એળખી ગયા હશે, તે જ તેના મૂળભૂત કારણેાની તપાસ કરી પાપમાં જતાં જરૂર અટકશે. (સૂ૦૨૫) શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૭૫
SR No.006481
Book TitleKalpasutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy