SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર છે. અનેકવાર ધિક્કાર છે. આ કામ-ભાગ જ સર્વાં મુશ્કેલીઓનું મૂળ છે. તેથી જ કહ્યું છે કેઃ— “सलं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे पत्थयमाणा य, अकामा जंति दुग्गइं ॥ १ ॥ આ કમભાગ એટલે કે ઇન્દ્રિયેનાં વિષય, શબ્દ વગેરે શલ્યા છે. જેમ શરીરની અંદર ઘૂસી ગયેલી ખાણુની અણી દરેક પળે પીડા પહોંચાડે છે, એમ આ કામભાગ પણ પીડાકારી છે. તથા એકામભેાગ વિષનાં જેવાં છે. જેમ ખાધેલું ઝેર જીવનના અન્ત લાવે છે. એ જ પ્રમાણે કામભાગ ધ જીવનના નાશ કરે છે. વળી એ કામભાગ સાપ જેવાં છે. જેમ સાપ કરડે તે મનુષ્ય મરણને શરણુ પામે છે એજ રીતે કામભેાગથી સાયેલ મનુષ્ય પણ માતના મહેમાન બને છે. એ કામલેાગાની ભયંકરતા તેા એથી સાખીત થાય છે કે કામેાની અભિલાષા કરનારા, કામભાગ પ્રાપ્ત ન થવાં છતાં પણુ, ફક્ત અભિલાષા કરવા માત્રથી જ દુર્ગતિ પામે છે. આવી સ્થિતિમાં કામભોગના ઉપાન, રક્ષણ અને ઉપસેાગનું તે કહેવુ જ શું? તેને આશય એ છે કે કામલેાગની અભિલાષા વગેરે રાગ-દ્વેષનું મૂળ હોવાથી તથા કષાય-વર્ધક હેવાને કારણે પાપમય છે. તેથી એ કામભોગ ભ્ય છે. આ રીતે કામલે ગેાની નિંદા કરીને તથા “ કામભોગ નરકાદ્ધિ-દુતિયાનુ કારણુ છે. ” એવા મનમાં નિશ્ચય કરીને વિશ્વભુતિ ત્યાંથી નીકળી ગયાં. તેમનામાં સંવેગ પેદા થઇ ગયા–મુક્તિની અભિલાષા ઉત્પન્ન થઇ ગઇ. તેએ કષાયની કલુષતારહિત ભાવના સાથે આ સ ંભૂત નામના સ્થવિર મુનિની પાસે દીક્ષિત થયાં. દીક્ષા લીધાં પછી વિશ્વભૂતિ અણુગાર ઈર્યાસમિતિથી યુક્ત થયાં. એટલે કે જીવાની રક્ષાને માટે યુગ્યપ્રમાણુ (ધૂંસરીના માપની) ભૂમિ ઉપર નજર રાખીને ચાલનાર થયાં. મૂળમાં વપરાયેલ “યાવત્” શબ્દથી ભાષાસમિતિસહિત, એષણાસમિતિસહિત, દાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિસહિત, પરિષ્ઠાપનાસમિતિસહિત, મનઃસમિત, વચનસમિત, કાયસમિત તથા મનેાગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિથી યુક્ત તથા ઇન્દ્રિયાને ગેાપન કરનારા’ આટલું' વધારે ગ્રહણ કરવું જોઇએ. હિત, મિત, પથ્ય અને સત્ય ભાષા ખેલનારને ભાષા-સમિત કહેવાય છે. આધાકમ વગેરે દેષાથી રહિત ભિક્ષાની ગવેષણા કરનાર એષણાસમિતિથી યુક્ત કહેવાય છે. વસ્ત્ર વગેરે ઉપકરણ તથા પાત્રને ઉઠાવવા તથા રાખવામાં જે યતનાવાળા હોય છે તે આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિત કહેવાય છે. અહી મધ્યમણુિ-ન્યાયથી વચ્ચેના શબ્દને આગળ અને પાછળ બન્ને જગ્યાએ સંબધ થઈ જાય છે, એ વિષય પ્રમાણે “ભાંડ-માત્ર” શબ્દોના આદાન ( ગ્રહણ કરવુ –ઉઠાવવું) ની સાથે પણ સબંધ છે, અને નિક્ષેપણા( મૂકવું) ની સાથે પણ સંબંધ છે. પરિપનાસમિતિનું પૂરૂં નામ “ઉચ્ચાર-પ્રસ્ત્રવણ-શ્ર્લેષ્મ-શિ ધાણુજલ્લ-પરિજાપનિકા-સમિતિ” છે. ઉચ્ચાર એટલે કે મળ, પ્રસ્રવણ એટલે કે મૂત્ર, શ્લેષ્મ એટલે કે કફ, જલ્લ એટલે કે પસીનાના મેલ, શિઘ્રાણુ ( નાકના મેલ) એ બધાંને પઢવામાં યતનાવાળાને પરિષ્ઠાપનિકાસમિત કહેવાય છે. તેઓ મનઃસમિત એટલે કે શુભ મનની પ્રવૃત્તિ કરનારા, વચનસમિત એટલે કે સત્ય, મધુર અને નિરવદ્ય વચન ખેલનારા, તથા કાયસમિત એટલે જીવહિંસા વગેરે દષે થી બચીને કાયાની પ્રવૃત્તિ કરનારા થયાં. વિશ્વભૂતિ અણગાર મનેગુપ્તિમાન પણ થયાં. મનેાગુપ્તિ ત્રણ પ્રકારની છે; (૧) આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉત્પન્ન કરનાર કલ્પનાઓના સમૂહના વિયેાત્ર હાવે તે પહેલી મનેગુપ્તિ છે. (૨) શાસ્ત્રને અનુસરનારી, પરલેાકની શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૬૯
SR No.006481
Book TitleKalpasutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy