SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જે ‘ધર્મ' અનંત અપેક્ષાવાદી અને નયવાદી હોય તેમ જ સઘળા ધર્મો તેમાં અપેક્ષાપૂર્વક સમાઈ જતાં હાય તે ‘સ્યાદ્વાદપણા’ ને ‘ ધર્માં ' કહેવામાં આવે છે. અને ભગવાને આ અપેક્ષાયુક્ત ધર્મની ઘેાષણા કરી છે; માટે તેમને ધ વરચાતુરન્તચક્રત્તી' કહ્યાં છે. ' છખંડ પૃથ્વી પર જેનું શાસન ચાલતું હોય, જેના ખજાનામાં નવે નિધિ હાજર હોય, જેને સ` દુશ્મ નાને નાશ કરવાવાળું ચક્ર મળ્યું હોય, છએ ખંડ આપબળે પ્રાપ્ત કર્યો. હાય, વિદ્યાધરાએ જેને, મરણ સુધી જરા પણ કરમાય નહિ તેમ જ જીવન પર્યંન્ત યુવાવસ્થા, લાવણ્યતા સાથે ટકી રહે તેવું સ્ત્રીરત્ન આપ્યું હાય. તે જ ‘ ચક્રવતી ' કહેવાય. એવા ચક્રવતી મારા પિતા છે. ફરી હું પતનપુરમાં સિંહ સમાન ગજવા વાળા, મહાબલી, સુંદર સ્વસ્તિક ચિહ્નવાળે, ત્રણ ખંડના અધિપતિ ‘ત્રિપૃષ્ઠ ’ નામનો વાસુદેવ થઇશ. આટલું જ નહિ, ત્યાર બાદ હું અપર વિદેહની મૂકા નગરીમાં ચક્રવતી પણ થઈશ. કેશ અને દંડ આદિના પ્રભાવથી મારા પ્રતાપ અત્યંત પ્રખર સૂર્યના પ્રતાપની સમાન થશે. પૂ ભવમાં કીધેલ તપના પ્રભાવ મને પ્રાપ્ત થશે. હું પૂ॰જન્મના સંચિત સુખાને પ્રાપ્ત કરીશ. મનુષ્યામાં ઉત્તમ ગણાઈશ. દશે દિશાઓમાં મારા યશ ફેલાશે. શરત્કાલના મેઘની સમાન મધુર ગંભીર અને સ્નિગ્ધ મારી ધ્વનિ થશે. બધા લેાકેાને મારાથી સંતેાષ પ્રાપ્ત થશે. હું પોતાના પિતાની સમાન જ પ્રિયમિત્ર નામના ચક્રવતી બનીશ. વધારે શું! આ જ ભરત ક્ષેત્રમાં, આ જ અવસર્પિણી કાલમાં, રાગદ્વેષ રહિત શુભ અશુભ મલિનતાએ સિવાયના, અદ્ભુત આત્મપરાક્રમી, મહાન વૈરાગ્યવાન્ કેવલ-જ્ઞાન-દર્શન ઉપયેગવાળા, ચરમ તી કર પણ થઇશ. સતી કરામાં મારા દાદા પ્રથમ તીથંકર છે, સવ` ચક્રવતી એમાં મારા પિતા પ્રથમ ચક્રવતી છે, અને હું વાસુદેવામાં પ્રથમ વાસુદેવ બનીશ. આ પછી હું પશ્ચિમ મહાવિદેહની મૂકા નગરીમાં છ ખ`ડનો નાથ, જગતમાં આનંદ કરવાવાળા પ્રિયમિત્ર નામના ચક્રવતી' થઇશ. આટલુ જ નહિ, પશુ ત્યાર પછી હું કાલક્રમથી આ જ ચાવીસીની પૂર્ત્તિ કરવાવાળા એટલે ચાવીસમી સખ્યાને પૂર્ણ કરવાવાળા ચરમ તીર્થંકર થઈશ, આ પ્રમાણે કહેતા, તથા ભુજાએ ફટકારતા, તથા જોર જોરથી સિંહનાદ કરતા એવા મરીચિએ નીચ ગાત્રનું ઉપાર્જન કર્યું, ભગવાન ઋષભદેવને પૌત્ર, ચક્રવતી ભરતના પુત્ર અને પાતે જૈન ધર્માંમાં નિષ્ઠા ધરાવનાર હોવા છતાં પણ મરીચિએ નીચગેાત્રકમ ના બંધ બાંધી લીધે. એમાં આશ્ચયની કોઇ વાત નથી. કારણ કે જે માણસ હૈય અને ઉપાદેયના વિવેકથી વિકલ હેાય છે તે વાસ્તવિક વાતને નિર્ણય કરતા નથી, કરી શકતા નથી. જાતિ, કુલ વગેરેનુ' અભિમાન ભારે ઉગ્ર વિષ છે. જ્યારે મનરૂપી વૃક્ષ એ અભિમાનની જવાળાથી જળવા લાગે છે ત્યારે એ મનરૂપી વૃક્ષમાં જ્ઞાનની કુંપણા ફૂટી શકતી નથી. તેને સાર એ છે કે અભિમાન જ્ઞાનના પૂરેપૂરી રીતે નાશ કરી નાખે છે. અભિમાનનું ખરાબ પરિણામ શાસ્ત્રકાર ફરીથી બતાવે છેઃ—જીવાનાં મનેગગન રૂપી આંગણામાં એટલે કે હૃદયરૂપી ક્ષેત્રમાં સહેજ પણ અભિમાનરૂપી મેઘના ઉદય થાય તે તે હૃદય ક્ષેત્રમાં તુરત જ તૃષ્ણારૂપી વિષની શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૬૦
SR No.006481
Book TitleKalpasutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy