________________
પુર્ણ કલશ સ્વપ્નફલમ્
૯-પૂર્ણકળશના સ્વમનું ફળ મૂળને અર્થ—“gur૮ણવંજ' ઈત્યાદિ. પૂર્ણ કળશને જેવાથી, જેમ કળશ નિર્મળ પાણીથી પરિપૂર્ણ હોય છે, તેમ તે બાળક ક્ષમા, શાન્તિ, માધુર્ય, ઔદાર્ય, શૌર્ય, ગાંભીર્ય, વૈર્ય, માદવ, આવ, આદિ ગુણેથી પરિપૂર્ણ હશે. મંગળમય હોવાને કારણે સંપૂર્ણ લેકનું મંગળ કરનાર હશે. બધા લોકેના હદય-કમળમાં સ્થાન પામશે. વાણીના પાંત્રીશ ગુણેથી સુશોભિત હશે. લેકમાં અથવા લોકેને માટે સુંદર હશે. શુભ્ર કીર્તિ તથા કેવળજ્ઞાન અને કેવળદનથી વિભૂષિત હશે. જગતનું ચિત્ત હરનાર થશે, સમસ્ત તીથિકમાં પ્રધાન રૂપથી શોભાયમાન થશે અને સઘળા જનેને માટે ઈષ્ટ થશે (સૂ૦૩૯)
ટીકાને અર્થ–પુvorણરંa” ઈત્યાદિ. જળથી ભરેલા કળશનું સ્વપ્ન જોવાથી, સ્વચ્છ પાણીથી જેમ કળશ ભરેલો હોય છે, તેમ તે બાળક પણ ક્ષમા, શાંતિ સ્વભાવની મધુરતા, ઉદારતા-દાનશીલતા, શૂરતા-પરાક્રમ, ગંભીરતા-હદયની અગાધતા, ધીરતા-પરીષહ અને ઉપસર્ગ સહન કરવાની અડગતા, મૃદુતા-માનનો અભાવ, કાજુના-સરળતા વગેરે વગેરે
હશે. તે પોતે મંગળમય હશે, તેથી સઘળા લોકોનું મંગળ-જિન કથિત ધર્મની પ્રાપ્તિ રૂપ શુભ-કરનાર હશે, એટલે કે સમીચીન ધર્મનો ઉપદેશક થશે. સમીચીન ધર્મનો ઉપદેશક હોવાને કારણે તે બધા લેકના હદયરૂપી કમળમાં થાન પામશે એટલે કે બધાના આરાધ્ય થશે. તે વાણીના પાંત્રીસ ગુણોથી પરિપૂર્ણ થશે. તે ગુણ આ પ્રમાણે છે–
(૧) સંસ્કારવવં–વાણી સંસ્કારવાળી હેવી-વ્યાકરણ આદિની દૃષ્ટિથી નિર્દોષ હોવી. (૨) ઉદાત્તતા–સ્વરનું ઉદાત્ત-ઉંચા હેવું. (૩) ઉપરવારે પેતત્વ-ભષામાં ગામડિયાપણું ન હોવું. (૪) ગંભીરવનિત્વ–વાણી મેઘના અવાજ જેવી ગંભીર હાવી. (૫) અનુવાદિતા-પ્રતિધ્વનિવાળે અવાજ છે. (૬) દક્ષિણ-ભાષામાં સરળતા દેવી. (૭) ઉપનીતરાગત્ય-શ્રોતાઓનાં મનમાં બહમાન ઉત્પન્ન કરનારી સ્વરની વિશેષતા હોવી. (૮) મહાWત્વ–વાય અર્થમાં મહત્તા હોવી, થોડાજ શબ્દોમાં ઘણે જ અર્થ ભરેલે છે. (૯) અવ્યાહતપર્વ પર્યત્વ-વચનેમાં પૂર્વાપર વિરોધ ન આવો (૧૦) શિષ્ટત્વ–પિતાના ઈષ્ટ સિદ્ધાંતનું નિરૂપણ કરવું અથવા વક્તાની શિષ્ટતા સૂચિત કરનાર અર્થે કહે. (૧૧) અસંદિગ્ધત્વ–શ્રોતાના મનમાં સહેજ પણ સન્દહ રહી ન જાય એવી સ્પષ્ટતાની સાથે નિરૂપણ કરવું (૧૨) અપડતા ત્તરત્વ-વચન નિર્દોષ હોવા જોઈએ જેથી શ્રોતાઓને શંકા-સમાધાન કરવું ન પડે. (૧૩) હદયગ્રાહિ –કઠિન વિષયને પણ સરળ રીતે કહે, શ્રોતાઓનાં ચિત્તને આકર્ષિત કરી લેવું. (૧૪) દેશકાલાવ્યતીતત્વ–દેવકાળને અનુસાર કથન કરવું.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૪૯