________________
અપાય તે શાસ્ત્ર કહેવાય છે. એ તે પ્રત્યક્ષ જ્ઞાન છે. શાસ્ત્ર પક્ષ જ્ઞાન છે. ષષ્ઠિતંત્ર આદિ કુશાસ્ત્રોમાં આગમતાને નિષેધ કરવાને માટે શાસ્ત્રની પહેલાં આગમ શબ્દ મૂક્યો છે. વ્યવહારમાં ષષ્ટિતંત્ર આદિક શાસ્ત્રરૂપે મનાય છે પણ તે આગમ નથી, અનાગમ છે. આ રીતે યથાવસ્થિત અર્થોનું પ્રરૂપક જે શાસ્ત્ર છે તેનું જ્ઞાન જ આગમશાસ્ત્ર જ્ઞાન છે. અને તે આગમજ્ઞાન જે આત્મામાં થઈ ગયું છે એ જ શ્રતજ્ઞાન લાભ છે. એવું કથન વ્રતપાલનમાં દઢપ્રતિજ્ઞ એવાં ચૌદ પૂર્વધારી મુનિરાજોનું છે. તેનું તાત્પર્ય એ છે કે જિનપ્રણિત પ્રવચનના અર્થનું પરિજ્ઞાન જ પરમાર્થતઃ શ્રુતજ્ઞાન છે, અન્ય પ્રણિત શ્રતનું જ્ઞાન શ્રુતજ્ઞાન નથી..ારા,
હવે બુદ્ધિના આઠ ગુણો બતાવે છે–“સુરH૬૦” ઈત્યાદિ–
(૧) વિનિત થઈને ગુરુનાં વચનેને સાંભળવાની ઈચ્છા રાખવી, અથવા ગુરુની સેવા કરવી, (૨) ગુરુ દ્વારા પાઠિત પાઠમાં સંશય આવતાં ઘણી નમ્રતાપૂર્વક ગુરુજનનું મન હર્ષિત કરતાં સંશયનું નિવારણ કરવા માટે ફરીથી પૂછવું, (૩) પૂછતાં ગુરુજન જે કહે તે સાવધાનીથી સાંભળવું, (૪) પછી પૂછેલ વિષયનું શબ્દ અને અર્થપૂર્વક અવધારણ કરવું, (૫) પછી પૂર્વાપર વિરોધન આવે તે રીતે તેની પર્યાચના કરવી, (૬) પછી તેને નિશ્ચય કર, (૭) કાલાન્તરે પણ તે વિષય ભૂલાય નહીં તે રીતે તેને ધારણ કરે, (૮) અને ધારણા પ્રમાણે શાસ્ત્રોકત અનુષ્ઠાનને પોતાના જીવનમાં ઉતારવું, એ બુદ્ધિના આઠ ગુણ છે. એ આઠ ગુણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પેદા થાય છે તેથી તેમને બુદ્ધિના ગુણરૂપે પ્રગટ કર્યા છે. ૩
હવે શાસ્ત્રકાર શાસ્ત્ર સાંભળનારના સાત ગુણ કહે છે-“મૂ૦” ઈત્યાદિ.
(૧) પ્રથમગુણ–શ્રેતા શાસ્ત્રનું જ્યારે શ્રવણ કરે ત્યારે ઘણું નમ્રતાપૂર્વક શરીરને સંયત કરીને મૌનપૂર્વક સાંભળે છે, એટલે કે વચ્ચે વચ્ચે વાત કરતે નથી. (૨) બીજો ગુણ–હકાર કરે છે એટલે કે સ્વીકૃતિસૂચક “હા” એ અવ્યક્ત વનિ કરે છે. (૩) ત્રીજે ગુણ–બાઢંકાર કરે છે–એટલે કે “તત્તિ-સરિ” કહે છે. એવું બોલે છે કે, “આપ જેમ કહે છે તેમ જ છે, અન્યથા નથી ? આમ કહીને શાસ્ત્રોક્ત વિષયને માન્ય કરે છે. (૪) ચે ગુણ-પ્રતિપૃચ્છા કરે છે, એટલે કે પૂર્વાપર રૂપે શાસ્ત્રને અભિપ્રાય ગ્રહણ કરીને જો તેમાં સંશય પેદા થાય તે “હે ભદન્ત ! આ વાત કેવી રીતે છે?” આ રીતે કંઈક પૂછે છે. (૫) પાંચમે ગુણ-“આમાં કયું પ્રમાણ છે આ પ્રકારનું પ્રમાણુજિજ્ઞાસારૂપ વિમર્શ કરે છે. (૬) છઠ્ઠો ગુણ-વળી શ્રોતા ઉત્તરોત્તર ગુણેની વૃદ્ધિથી શાસ્ત્રને પારગામી થાય છે. (૭) સાતમે ગુણ આ રીતે શ્રોતા ગુરુની પ્રમાણે
શ્રી નન્દી સૂત્ર
૨૬૭