SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ તે આમ કહેવું પણ બરોબર નથી. કારણ કે, જ્યારે તે ચારિત્રના તરફ ઉપકારી છે તે પછી ન ઉદાસીન થઈ શકે કે, ન બાધક પણ થઈ શકે, આથી પુરૂષ દ્વારા થનાર કનડગતેની રક્ષા કરનાર હોવાના કારણે ચિલ ચારિત્રમાં ઉપકારી છે. એવું જ માનવું જોઈએ. હવે જે એમ કહેવામાં આવે કે, ચિલ પરિગ્રહરૂપ હોવાથી ચારિત્રના અભાવનો હેતુ છે એમ કહેવું પણ ઠીક નથી. કેમ કે, પરિગ્રહનું લક્ષણ મુછભાવ કહેવામાં આવેલ છે. આ દશ વૈકાલિકના છઠ્ઠા અધ્યયનમાં “મુછી પરિવાહો કુત્તો” આ વાક્યથી ભગવને ફરમાવેલ છે. આદર્શ ઘરમાં અન્તપુર સાથે બેઠેલ ભરત ચક્રવતી મૂચ્છભાવ રહિત હોવાના કારણે જ પરિગ્રહ રહિત માનવામાં આવેલ છે. જે આવી વાત ન હોત તે તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકત નહીં. જે શૈલને પરિગ્રહરૂપ માનવામાં આવે તે તથા વિધ રોગાદિકમાં પુરૂષોને પણ ચલના સદૂભાવમાં ચારિત્રને અભાવ હોવાની પ્રસક્તિથી મુક્તિના અભાવની પ્રસિદ્ધિ માનવી પડશે, કહ્યું પણ છે “ના મન્દિરિપુ શીતવીરો અતિ ર્ન પુત” હૃત્તિ ! વધુમાં મૂછીના અભાવમાં પણ વસ્ત્રને માત્ર સંસર્ગ જે પરિગ્રહ માનવામાં આવે તે એવી હાલતમાં કોઈ પણ જનકલ્પી સાધુના ઉપર તુષારપાત પડવાથી, ધર્માત્મા પુરૂષ દ્વારા નાખવામાં આવેલ વસ્ત્ર પણ પરિગ્રહરૂપ માનવું જોઈએ. પરંતુ તે એમ મનાતું નથી. આ કારણે વસ્ત્રને કેવળ સંસર્ગ પરિગ્રહરૂપ માની શકાતું નથી. પરંતુ મૂર્છા જ પરિગ્રહ છે. જ્યારે પરિગ્રહનું આ સુનિશ્ચિત લક્ષણ માન્ય થઈ જાય છે તે, એ વાત માનવી પડશે કે, તેવી મૂછી વસ્ત્રાદિકના વિષયમાં સાધ્વી સ્ત્રિને થતી નથી. કેવળ એ તે તેને ધર્મનું ઉપકરણ જાણીને જ ધારણ કરે છે, વસ્ત્ર વગર તે પિતાનું રક્ષણ કરી શકતી નથી, ઠંડી આદિમાં સ્વાધ્યાય પણ કરી શકે નહીં. આ કારણે દીર્ઘતર સંયમ પાળવા માટે ચેતનાથી અને પરિભેગા કરીને તે પરિગ્રહવાળી કઈરીતે માની શકાય. તથા ચિલને પરિગ્રહરૂપ માનવથી “ળો પટ્ટ ળિથીi પ તારું ઘરે રામને રાત્તિ” આ પ્રમાણે નિર્ગસ્થીને વ્યપદેશ આગમમાં સાંભળવામાં અથવા દેવામાં આવે છે તે ન આવવું જોઈએ, પણ આવેલ છે. આથી એ શાસ્ત્રીય વ્યપદેશથી એવું જ જાણી શકાય છે કે, સચેલ હોવાથી ચારિત્રને અભાવ બનતું નથી. આથી જ્યાં વસ્ત્રમાં પરિગ્રહરૂપતા આવતી નથી ત્યારે એવું કહેવું કે, “ીળાં ન મોક્ષ પ્રર્વત્થાત જૂથવ” “ગૃહસ્થની માફક પરિગ્રહ યુકત હોવાથી સિને મેક્ષ થતો નથી. ” ખંડિત બની જાય છે. કેમકે વસ્ત્ર ધર્મનું ઉપકરણ છે. આથી તે પરિગ્રહરૂપ નથી. આ પ્રમાણે એવું કહેવું કે, “ીવમેવ રાત્રિ રોધિ” અથવા સ્ત્રીપણું જ ચારિત્રનું વિરોધી છે.” એ પણ ઠીક નથી કારણ કે, આ પ્રમાણે જે સ્ત્રીપણાની સાથે ચારિત્રને વિરોધ હોત તે એમને કેઈપણ પ્રકારની વિશેષતા વગર દીક્ષા આપવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૭૬
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy