SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવી રહ્યા છે, શું એમનામાં સમ્યગદર્શનાદિક રૂપ જે રત્નત્રય છે એને અભાવ રહે છે. ? ૧. અથવા તે એમનામાં વિશિષ્ટ સામને અભાવ છે? ૨. અથવા તે પુરૂષો દ્વારા અવંદ્ય છે ? ૩ અથવા તે મરણ આદિ જ્ઞાન એમનામાં રહેતું નથી ? ૪ અથવા એમનામાં કોઈ સ્ત્રી મહદ્ધિક નથી? ૫ અથવા તે માયાદિકની એમનામાં પ્રાર્શતા હોય છે.? ૬. જે આ છ વિકલ્પમાંથી એ વિકલ્પ માનવામાં આવે કે, સિયામાં રત્નત્રયને અભાવ છે. આથી એમનામાં પુરૂષોની અપેક્ષાએ હીનતા છે. આ પ્રકારનું કહેવું એ કારણે યુકિતયુકત માની નથી શકાતું કે, સમ્પન્દનાદિક રત્નત્રય પુરૂષની માફક સ્ત્રીમાં પણ અવિકલપ જોવામાં આવે છે. બ્રિયે પણ સઘળા પ્રવચનના અર્થની શ્રદ્ધા કરવાવાળી ષડાવશ્યક કાલિક ઉત્કાલિક આદિના ભેદથી ભિન્ન શ્રતને જાણવાવાળી તથા સત્તર પ્રકારના સંયમને પાળનાર જોવામાં આવે છે. દેવ અને અસર તરફથી પણ દુર્ધર બ્રહ્મચર્ય વ્રતનું એ પાલન કરે છે, માસ ક્ષપણુ આદિ વિવિધ પ્રકારની તપસ્યા કરે છે, આ કારણે તેમને મુકિતને સંભવ કેમ ન થઈ શકે? તથા આપ જે સ્ત્રિોમાં રત્નત્રયને અભાવ કહો છે તો એમનામાં રત્નત્રયને અભાવ કઈ રીતે છે? શું રત્નત્રયનું સામાન્યરૂપ અથવા પ્રકર્ષ પર્યત પ્રાપ્ત રત્નત્રયનું? કદાચ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો અમે આની સામે પ્રથમ એ પૂછીયે છીયે કે, સામાન્યતયા રત્નત્રયને અભાવ ચારિત્રના અભાવથી કહે છે? અથવા જ્ઞાન દર્શન બનેના અભાવથી કહે છે ? અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણેના અભાવથી કહે છે ? જે એવું કહે કે, ચારિત્રના અસંભવથી રત્નત્રયને અભાવ છે એવું અમે કહીએ છીએ તે આના ઉપર એવો વિકલ્પ ઉઠે છે કે, એમનામાં ચારિત્રની અસંભવતા શું સવસ્ત્ર હોવાના કારણે આવે છે? અથવા તે સ્ત્રીપણું એ ચારિત્રનું વિધી ગણવાથી આ છે? અથવા સામર્થ્ય ઓછું હોવાને કારણે આવે છે? કદાચ એવું કહેવામાં આવે કે, તે વસ્ત્ર સહિત રહે છે. આ કારણે તેમનામાં ચારિત્રની અસંભવતા છે તે શું વસ્ત્રને પરિગ માત્ર કરવાથી જ ચારિત્રભાવના તરફ હેતતા થાય છે? અથવા પરિગ્રહરૂપ થવાથી થાય છે? જે પરિગ્રહ માત્રથી ચલ ચારિત્ર ભાવને હેતુ બને છે, એવું માનવામાં આવે તે કહો એ ચિલને પરિભાગ સિમાં એને પરિત્યાગ કરવાની અશક્તિના કારણે છે ? અથવા ગરપાદિષ્ટ હોવાથી છે? જે આ બાબતમાં એવું કહેવામાં આવે કે, સ્ત્રીયોમાં વસ્ત્રને ત્યાગ કરવાની અશક્તિ હોવાથી ચેલ પરિભેગા થાય છે. અને એ ચૂલ પરિગ એમનામાં ચારિત્ર ભાવને હેતુ હોય છે તે એ કહેવું ઉચિત નથી. કારણ કે, પ્રાણિને સહુથી વધુમાં વધુ પ્યારે પિતાને પ્રાણ હોય છે. જ્યારે સિયો પ્રાણોને પણ ત્યાગ કરતી જોવામાં આવે છે તે પછી એના માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૭૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy