SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ΟΥ કાલાહલ મચી ગયેા. સઘળા લેાકેા અહીંતહીં નાસભાગ કરવા લાગ્યા. રાજાના અંતઃપુરની મહિલાઓ રક્ષણ વગર આકુળવ્યાકુળ થવા લાગી અને જેનાથી ભાગવાનું શકય બન્યુ, તેઓ જ્યાં ત્યાં પેાતાના પ્રાણાની રક્ષા ખાતર ભાગી છૂટી, રાજા જનમેજયની પટ્ટરાણી નામવતી પણ પેાતાની પુત્રી મદનાવલીની સાથે ભાગીને એ તપસ્વીઓાના આશ્રમમાં આવી પહેાંચી. કુળપતિએ તેમને ધીરજ આપી. આથી તે ત્યાં રહેવા લાગી. રહેતાં રહેતાં મહાપદ્મ અને મદનાવલીમાં પરસ્પર અનુરાજ્ગ થઈ ગયા અને તે ખૂબ આગળ વધ્યા. જ્યારે આ વાત આશ્રમવાસીઓની જાણમાં આવી ગઈ ત્યારે નાગવતીએ મહાપદ્મને સામાન્ય રાજપુત્ર સમજીને મનાવલીને કહ્યું, હે પુત્રી ! તું ચક્રવર્તીની પટ્ટરાણી થઈશ એવું જોશીનુ વચન શું તને યાદ નથી ! આ કારણે હું તને સમજાવું છું કે જ્યાં ત્યાં પાતાની વૃત્તિઓને ન જવા દેતાં સ્થિર બનાવ. કુલપતિએ પણ આ વાત જાણીને કે, આ અને પરસ્પરના પ્રેમમાં છે અને એ કારણે કયારેકને કયારેક લગ્ન કરી લેશે. આથી તેમણે કુમારને પાતાની પાસે મેલાવીને કહ્યું, કુમાર ! તમે! અહીંથી કઇ બીજા સ્થળે ચાલ્યા જાવ, કુલપતિનું આ પ્રકારનું વચન સાંભળીને મહાપદ્મ એજ સમયે ત્યાંથી ચાલી નીકળ્યા. પરંતુ મદનાવલીના વિયેાગ તેને બહુ જ દુ.ખી કરી રહેલ હતા. ચાલતાં ચાલતાં મહાપટ્ટે વિચાર કર્યાં કે મદનાવલી જ્યારે ભાવી ચક્રવર્તીની પટરાણી થનાર છે એવુ' જોષ જોનારે કહેલ છે તેથી એ નિશ્ચિત છે કે તે મારી પટરાણી થવાની. પરંતુ ચક્રાદિ રત્ન કયારે ઉત્પન્ન થશે અને હું કયારે છ ખંડ પૃથ્વીને જીતીને મદનાવલીને પરણવાના ? આ પ્રકારના વિચાર કરીને મહાપદ્મ કુમાર સિંધુન દન નામના એક નગરમાં પહોંચ્યા, ત્યાં તે દિવસે કાઈ વિશેષ ઉત્સવ હતા. સઘળી સ્ત્રીએ બગીચામાં આવેલ હતી. આ મહિલાઓના જમ્મર અવાજ સાંભળીને મહાસેન રાજાના ખાસ હાથી મક્રોન્મત્ત બનીને, આલાનસ્તંભ ઉખેડીને તથા મહાવતને મારીને નગરમાં ક્ાન મચાવતા તે ઉદ્યાન તરફ પહોંચ્યા. હાથીને પોતાના તરફ આવતા જોઇને સઘળી મહિલાએ ભયથી વિહ્વળ બની ગઈ અને અનિષ્ટની આશંકાથી ગભરાઈને ચીસે પાડવા લાગી. ચીસેા પાડતી એ બિચારી મહિન્નાએ એ એવુ પણ કહ્યુ કે, અરે! જો કેઈ વીર પુરુષ હેય તે તે અમારી રક્ષા કરે. આ પ્રમાણે સ્ત્રીઓનાં વચનેને સાંભળીને ત્યાં આવી પહેાંચેલ મહાપદ્મ કુમાર એ હાથીને મહાત કરવા દોડી આવ્યા . હાથી પાછા ફરીને મહાપદ્મકુમારની સામે થઇ ગયા. પેાતાની સામે હાથીને આવતે જોઇને મહાપદ્મકુમારે પેાતાનું ઉત્તરીય વસ્ત્ર હાથીની સામે ફૂંકયુ ફૂંકાયેલા એ ઉત્તરીય વસ્તુને જ ક્રોધમાં અંધ બનેલા ગજરાજે મનુષ્ય જાણીને એના ઉપર દાંત તેમ જ પગના પ્રહારા કરવા માંડયા. કાલાહુલને સાંભળીને સઘળા પુરવાસી જના પણ એકત્રિત થઇ ગયા હતા. મહાસેન રાજા પણ પેાતાના મંત્રીની સાથે ત્યાં આવી પહોંચ્યા. આવીને તેમણે મહા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૭૯
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy