SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે નાના સિભ્ય તરફથી નમુચિને જ્યારે કહેવામાં આવ્યું તે તે તેના પ્રત્યુત્તરમાં જવાબ ન આપી શકવાથી નિરૂત્તર બની ગયા. પરંતુ આ સાધુઓની ઉપર તેની કષાયની પ્રબળતા પહેલાંથી પણ અધિક પ્રમાણમાં વધી ગઈ. રાજાની સાથે તે પોતાના સ્થાને પાછા ફર્યાં. રાજાની હાજરીમાં પાતે ઉત્તર ન આપી શક વાના કારણે તેને પાતાનું અપમાન વિશેષ ખટકવા લાગ્યું. આથી સાધુઓની પાસેથી તેના બદલે અવશ્ય લેવા જોઇએ એવા નિશ્ચય તેણે પોતાને ઘેર આવીને કર્યા. આ દૃઢ નિશ્ચય અનુસાર પેાતાના અપમાનને બદલે લેવા ગાટે મધ્યરાત્રિના સમયે ક્રોધથી આંધળેા ભીંત બનાને તે સાધુઓને મારવા માટે ઉદ્યાનમાં ગયા. તે ત્યાં પહોંચતાં જ તિર્યંન્થાની ભક્તિ થી તપ્રેત થયેલી ત્યાંની વનદેવીએ તેને બાંધી દ્વીધા. જ્યારે પ્રાતઃકાળના સમય થયેા ત્યારે નગરજનાની અવરજવર શરૂ થતાં આવતાજતા ઢાકાએ નમુચિ મંત્રીને ખંધાયેલ હાલતમાં જોતાં આશ્ચય થયું. ધીરે ધીરે આ વાત સઘળા નગરમાં પ્રસરી ગઈ અને છેલ્લે રાજાના કાન સુધી આ વાત પહોંચતાં રાજા પણ ત્યાં પહાંચી ગયા. પહેલાં તે સઘળાએ મુનિરાજોની પાસે મેસીને ધાર્મિક દેશના શ્રત્રયુ કર્યું", પછીથી જે સ્થળે નમુચિ મંત્રી બંધાયેલ હતા ત્યાં સા કે। આવ્યા. સઘળાએ આ સ્થિતિમાં રહેલા નમુચિની નિંદા કરી. આ પ્રમાણે તેને સધળા નગરજનોથી નિદિત થયેલે જાણીને વનદેવીએ તેને મુક્ત કર્યા. આથી તે લજ્જિત થતા થતે પોતને ઘેર ચાલ્યા ગયે, લેકે પણ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. લજ્જિત બનેલા નમુચિ મંત્રી ઉજજૈની ાડીને હસ્તિનાપુર ચાલ્યા ગયા અને ત્યાં જઈ યુવરાજ મહાપદ્મની પાસે રહેવા લાગ્યા. જો કે તે ઘણા પાપી હતા તે પણ પૂર્વના પુણ્યના પ્રભાવથી યુવરાજ મહાપદ્મ તેને પ્રધાનપદે સ્થાપિત કર્યો. મહાપદ્મ રાજાના સિંહના સમાન પ્રબળ પરાક્રમશાળ સિંહુમલ નામના એક રાજા વૈરી હતા. તે અને રાજ્યની સીમા એકબીજાને અડીને હતી. મહાપદ્મના રાજ્યમાં વારંવાર પ્રવેશી એ ચાર વૃત્તિથી પ્રજાજનેાના ધનનુ તે હરણ કરી જતે, જ્યારે તેના સામને થતા અને પકડાઈ જવાતા પ્રસંગ આવતા ત્યારે પોતાના દુગ માં છુપાઈ જતા. મહાપદ્મના સૈનિકાના અનેકવિધ પ્રયાસે છતાં તે પકડી શકાતા નહીં મહાપદ્મ રાજા એ રાજ ઉપર ખૂબ ગુસ્સે રહ્યા કરતા અને ઇચ્છતા હતા કે કેાઈને કાઈ ઉપાયે પશુ અને પકડી લેવા. એક દિવસ મહાપદ્મ જાએ આ વાત નમુચિ મંત્રીને કહી કે, તમેા સિંહુબલને પરાસ્ત કરવાના કઈ ઉપાય જાણા છે ? નમુચિએ હુકારમાં જવાખ આપ્યા. આથી રાજાએ પ્રસન્નચિત્ત બનીને કહ્યું કે તો પછી શા માટે વાર કરી છે ? જાએ પકડી લે. નચિને એટલું જ જોઇતું હતુ તે સૈન્યને સાથે લઈને સિંહબલના રાજ્ય ઉપર ઘેરો ઘાલ્યા. અવરજવરના માગેર્ગ રોકી લીધા. આ પછી યુક્તિથી તેના દુર્ગને તેડીફ઼ાડીને તેને પકડીને બાંધી લીધા અને મહાપદ્મ રાજાની સામે લાવીને રજુ કરી દીધા. આથી રાજા નમુચિ પ્રધાન ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યુ, તમે એક ઘણું જ મહત્વનું ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ७७
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy