SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ રાજને નમન કરી પિતાને સ્થાને ચાલ્યા ગયા. સનકુમાર રાષિએ કુમારકાળમાં પચાસ હજાર (૫૦૦૦૦) વર્ષ, માંડલીકપદમાં પણ પચાસ હજાર (૫૦૦૦૦) વર્ષ તથા ચક્રવતી પદમાં એક લાખ (૧૦૦૦૦૦) વર્ષ અને મુનિપદમાં પણ એક લાખ (૧૦૦૦૦૦) વર્ષ કાઢયાં. આ પ્રકારે તેમની સંપૂર્ણ આયુષ્ય ત્રણ લાખ (૩૦૦૦ ૦૦) વર્ષનું હતું. એ સઘળા આયુને આ પ્રકારે ભોગ કરીને પછીથી તેઓ દિધતર કાળને સિદ્ધપદને ભોગવનાર બનશે. કેમ કે, અહીંથી ત્રીજા દેવલોકમાં જઈને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મેક્ષમાં જશે. સ્થાનાકાંગસૂત્રમાં પણ આજ વાત કહેલ છે “आहावरा तच्चा, अंतकिरिया महाकम्म पञ्चाया एयावि भवइ । से णं मुंडे भवित्ता गाराभो जार पव्वइए । जहा दोच्चाण वर दीहेणं परियारणं सिज्झइ जाव सव्व दुःखाणमंतं करेइ । जहा से सणंकुमारे राया चाउरंत चक्कलही। तचा अंतकिरिया"। છે. સનકુમાર ચક્રવતની કથા સમાપ્ત છે શાંતિનાથ કી કથા તથા–“વફા” ઈત્યાદિ. અન્વયથ–-અહિં ચોદર અને નવવિધિ આદિ રિદ્ધિઓથી યુક્ત રદી-વર્તી પાંચમા ચક્રવર્તી જોઇ શંતિ જ્ઞાતિ તથા ત્રિભુવનમાં શાંતિના કરતા એવા વંતિ-જ્ઞાતિઃ શાંતિનાથ પ્રભુએ પણ કે જેઓ સેળમા તીર્થંકર થયા છે. તેમણે મા વારં–મારd aણ પખંડની રિદ્ધિને વાચવા પરિત્યાગ કરીને ગyત્તારું નવું ઘર–અનુત્તર અતિ પ્રામક સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ ગતિને પ્રાપ્ત કરેલ છે. શ્રી શાંતિનાથ પ્રભુની કથા આ પ્રકારની છે – આ જબુદ્વિપની અંદર પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજય છે. એમાં મહારિદ્ધિસંપન્ન પુંડરીક નામનું એક નગર હતું. એના શાસક અદૂભૂત પરામશાળી એવા ઘનરથ નામના રાજા હતા. જેમને બે રાણીઓ હતી, એકનું નામ પ્રીતિમતી અને બીજીનું નામ મનોરમા હતું. એક સમય પ્રીતિમતી રાણીની કૂખેથી યેવક ઍવીને વજાયુધના જીવે અવતાર લીધે. આ સમયે રાણીએ સ્વપ્નામાં પિતાના મોઢામાં ગજેતા મેઘને પ્રવેશ કરતાં જે કે જે એ સમયે અમૃતની ઝડીથી વરસી રહેલ હતે. રાણીએ સવારના ઉઠીને રાત્રિના સ્વપ્નાની હકીકત રાજાને સંભળાવી. રાજાએ તેને ઉત્તર આ પ્રમાણે આપતાં કહ્યું કે, હે દેવી! મેઘની માફક સંતાપને દૂર કરનાર એ પુત્ર તમારી કૂખેથી અવતરશે. આ સમયે મને રમાએ પણ સ્વપ્નામાં એક મને રમ એ રથ જે. તેણે પણ પિતાના સ્વપ્નની વાત રાજાને કહી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy