SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નીકળી પડયે. ધખોળ કરતાં કરતાં તે એ જંગલમાં જઈ પહોંચ્યું કે, જ્યાં અગાઉ રાજકુમારની શોધ કરવા માટે સનિકે જઈ આવ્યા હતા. જંગલ ખૂબજ અટપટુ હોવાથી તેની સાથેના સૈનીકેની હિંમત પણ આગળ વધવામાં ચાલતી ન હતી. છેવટે મહેન્દ્રસિંહ એકલે પોતાના ધનુષ્યને સુસજજીત કરીને આગળ વધશે ભારે કષ્ટ સાથે તે ગિરીકંદરાઓમાં, ઘાડા જંગલમાં, નદીઓના તટમાં, રખડતે રખડત પિતાના મિત્રની શોધ કરતું હતું. જયારે આ પ્રમાણે રાજકુમારની શોધમાં ભટકી રહ્યો હતો ત્યારે અચાનક તેના કાને ઉપર અવાજ અથડાય તેણે સાંભળ્યું "कुरुवंशावसंतश्री, अश्वसेननृपात्मज । सनत्कुमार ! सौभाग्य ! जितमार चिरंजय ||१|| जय अश्वसेन-नभस्तल-मृगाङ्क ! कुरुभवनलग्नस्तंभ! जय त्रिभुवननाथ ! सनत्कुमार ! जय लब्धमाहात्म्य ॥२॥ હે કુરુવંશના આભૂષણ શ્રી અગ્નિસેન રાજાના સુપુત્ર સનકુમાર હે સૌભાગ્યશાળો હે જીતેન્દ્રિય આપને જય થાવ હે અશ્વસેન રૂપી આકાશ મચ્છલના ચંદ્ર હે કુરુવંશરૂપી ભવનમાં લાગેલા સ્તંભ હે ત્રિભુવનનાથ સનકુમાર આપનો જવ થાવ હે પૂર્વભવના વેરી દેવને જીતી તે જ્યલક્ષ્મીને મેળવેલા હે સનકુમાર આપનો જય થાવ. આ પ્રમાણે સનકુમ નાં સ્તુતિકર વયનેને સાંભળીને મહેન્દ્રસિંહે નિશ્ચય કર્યો કે, અવશ્ય સનસ્કુમાર અહીંયાં છે. આથી તેને ઘણોજ હર્ષ થયે અને તે પ્રસન્નચિત્ત થઈને ઉતાવળે ત્યાંથી આગળ વધ્યા. જોયું તે સનસ્કુમાર બેઠેલ છે. જલદીથી તેની પાસે પહોંચીને મહેન્દ્રસિંહ મહેતાનું મસ્તક એના ચરણે ઉપર રાખી દીધું. મહેન્દ્રને જોતાંજ સનસ્કુમારના નયનેમાં પણ જળબિંદુ આવી ગયાં. તેને બને હાથેથી પકડીને ઉભે કર્યો અને ગાઢ આલિંગન આપ્યું, પછી વિદ્યાધરોએ લાવેલા સિંહાસન ઉપર બને બેઠા. વિદ્યાધર પણ એમની પાસે ત્યાં બેઠા. પછી સનકુમારે મહેન્દ્રસિંહને કહ્યું કે, હે મિત્ર ! તમને એ કયાંથી ખબર પડી કે, હું અહિં આ સ્થળે શું ? મહેન્દ્રસિંહે પ્રત્યુત્તરમાં કહ્યું કે, કુમાર ! પહેલા આપ જ બતાવે કે જ્યારે ઘોડે આપને અહીં સુધી ખેંચી લાવ્યા. ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ આપને સહન કરવી પડી. મહેન્દ્રની વાત સાંભળીને રાજકુમાર સનસ્કુમારે પિતાની પાસે બેઠેલી બકુલમતિને કહ્યું કે, બકુલમતિ! આને મારું સઘળું વૃત્તાંત કહી સંભળાવે. મને આ સમય નિદ્રા આવી રહી છે તેથી હું આરામ કરવા માટે જાઉં છું. આ પ્રમાણે કહી બકુલમતિને વૃત્તાંત સંભળાવવાનો આદેશ આપીને સુવા માટે સનસ્કુમાર ચાલી ગયા. બકુલમતિએ પિતાની વિદ્યાના બળથી સનસ્કુમારથી સંબંધ રાખવા. વાળા સઘળાં વૃત્તાંતને જાણીને આ પ્રકારે કહેવાનો પ્રારંભ કર્યો. મહેન્દ્રસિંહ ! આપ લોકેના જોતાં જોતાં જ્યારે તે ઘોડો આર્યપુત્રને લઈને વનમાં ચાલી નીકળે ત્યારે વનમાં પ્રવેશ્યા પછી પણ તેનું દેડવાનું શાંત ન થયું આવી રીતે એક દિવસ અને એક રાત સતત એ ઘોડે દેડતે રહ્યો. બીજા દિવસના મધ્યાહન કાળ સુધી પણ તેણે પિતાનું દેડવાનું ચાલુ રાખેલું આખરે તે ભૂખ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૫૪
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy