SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સનકુમાર ચક્રવર્તી કી કથા પછી પણ–“ મારો ઈત્યાદિ ! અન્વયાર્થ–સ એ પ્રસિદ્ધ મહિમા મહા રિદ્ધિ સંપન્ન મસિ-મનુજા મનુષ્યમાં ઇન્દ્ર જેવા ચેથા વવટ્ટી-વર્તી ચક્રવતી सणंकुमारोऽवि-सनत्कुमारोऽपि सनमारे ५९ पुत्तं रज्जे ठवित्ताणं-पुत्रं राज्ये स्थाप ત્રિા પિતાના પુત્રને રાજ્યશાસનની ધુરા સોંપી દઈ સર્વ -તા:ગવરત ચારિત્રના આરાધના કરી. સનકુમાર ચક્રવતીની કથા– ભારતવર્ષમાં કુરૂજાંગલ નામને એક દેશ છે, એમાં હસ્તિનાપુર નામના નગરમાં ધર્મનાથ અને કુંથુનાથ પ્રભુ થયા હતા. એમના અંતરાળના સમયમાં ત્યાં અશ્વસેન રાજાનું શાસન હતું. એમની રાણીનું નામ સહદેવી હતું. સહદેવીની કૂખે સનકુમાર ચક્રવર્તીને જન્મ થયો હતો. જ્યારે સનસ્કુમાર ગર્ભાવાસમાં હતા ત્યારે સહદેવીને ચૌદ સ્વપ્ન આવેલ હતા. રાણીએ જ્યારે સઘળા લક્ષણથી યુક્ત એવા પુત્રને જન્મ આપ્યું ત્યારે રાજાએ તેના જન્મને ભારે ઠાઠમાઠથી ઉત્સવ મનાવ્યો હતો. અને એનું નામ સનકુમાર રાખ્યું. જે પ્રમાણે ઉગેલું કલ્પવૃક્ષ ક્રમશઃ ખૂબ વધે છે. આ પ્રમાણે સનસ્કુમાર પણ દિનપ્રતિદિન કમશઃ વધવા માંડયા સૂર નામનો એક બીજે ક્ષીત્રય પણ હરતનાપુરમાં રહેતું હતું. તેને કાલિન્દી નામની સ્ત્રી હતી. જેનાથી રારને એક પુત્ર પ્રાપ્તિ થયેલ હતી, જેનું નામ મહેન્દ્રસિંહ હતું કે જે સનસ્કુમારનો મૈિત્ર હતેમિત્રની સાથે સનસ્કુમારે કળાચાર્યની પાસે સકળ કળાઓને અભ્યાસ કર્યો. અને યુવાવસ્થાએ પહોંચ્યા. એક સમયની વાત છે કે, વસંતઋતુના સમયે સનકુમાર પિતાના મિત્ર મહેન્દ્રસિંહની સાથે તથા અન્ય રાજકુમારોની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરવા માટે મકરન્દ નામના ઉદ્યાનમાં ગયા હતા. મિત્રની સાથે તેણે એ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ક્રીડાઓ કરી. સાથેના રાજકુમારોએ પણ પિતા પોતાના ઘોડા ઉપર ચડીને ઘોડાઓને નચાવવાનું શરૂ કર્યું. સનકુમાર પણ જલધિકલેલ નામના ઘડા ઉપર સ્વાર થયેલ હતા. ઘડો પવનવેગથી દોડવા માંડશે. સનકુમારે ઘડાની વાયુવેગથી ચાલવાની ચાલ જોઈને તેને રોકવા માટે લગામ ખેંચી. લગામ ખેંચતાં ઘોડો વધુ વેગથી દોડવા લાગે. આ પ્રકાર તેજીથી દેડતા ઘોડાને કારણે રાજકુમારના જે સાથીઓ હતા તે સઘળા પાછળ રહી ગયા અને ઘેડો સનકુમારને લઈને એટલી તેજીથી આગળ વધતો ગયો કે, સાથીદારો દેખાતા પણ બંધ થઈ ગયા. જ્યારે આ ખબર અશ્વસેનને મળ્યા તે તે સનસ્કુમારની શોધ કરવા માટે બહાર નીકળ્યા પરંતુ શેધ કઈ રીતે કરવી આ વિચાર મુંજવનારા હતે. છેવટે ઘોડાના પગના ચિન્હો જોઈને તે તરફ તપાસ કરવા જવાનું ઉચિત માન્યું. અને એમ જ કર્યું. પરંતુ એજ સમયે ભયંકર એ વાવટેળ ઉઠતાં ઘોડાનાં એ પદચિન્હો પણ ભુસાઈ ગયાં. નિરૂપાય બનીને રાજા પિતાના પરિવાર સહિત ઘેર પાછા ફર્યા. અશ્વસેનને ઘેર પાછા ફરેલા જોઈને મહેન્દ્રસિંહે ઘણાજ વિનયભાવથી તેમને કહ્યું- હે દેવ ! દૈવ વિપાકથીજ આ સઘળો અનિષ્ણ થયેલ છે. તો પણ હું મારા મિત્રની શેધ કરીશ. અને તેને સાથે લઈને આપના ચરણમાં પાછો ઉપસ્થિત થઈશ આ પ્રકારનું રાજાને ધંય બંધાવી મહેન્દ્રસિંહ સન્યને પિતાની સ થે લઈ સનસ્કુમારની શેધ કરવા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૫૩
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy