SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ અનુસાર કરું છું. તથા તેઓના કથન અનુસાર સઘળી મુનિ ક્રિયાઓની આરાધના કરું છું. આ હું વિનીત બનેલ છું. મુનિપદથી પાંચ મહાવ્રતરૂપ મૂળ ગુણની આરાધકતા આચાર્ય સેવાથી, ગુરુસેવામાં પરાયણતા અને આચાર્યની સેવાથી તથા તેમના ઉપદેશ અનુસાર ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષામાં પ્રવૃત્તિ કરવાથી ઉત્તર ગુણની સમરાધકતા એમા પ્રગટ કરાયેલી જાણવી જોઈએ. રરા આ પ્રકારે સાંભળીને તેમના ગુણોથી આકર્ષાઈને ક્ષત્રિય રાજર્ષિએ પૂછયા વગર જે કાંઈ કહ્યું તેને કહે છે–“#િf” ઈત્યાદિ ! અન્વયાર્થ–હે મહામુનિ ! જિરિ–દિવા જીવાદિકોની સત્તારૂપ કિયા તથા ચિં-ક્રિયા જીવાદિક પદાર્થોની નાસ્તિત્વરૂપ અક્રિયા તથા વિયં-વિનયઃ સઘળાને નમસ્કાર કરવારૂપ વિનય અને અન્ના-સૈજ્ઞાન વસ્તુનત્વનું જ્ઞાન પ્રદ જ ટરિં–તૈઃ afમઃ જો આ ચારે સ્થાને દ્વારા એક-યજ્ઞr: પોતપોતાની બુદ્ધિ અનુસાર જેઓએ વસ્તુનું સ્વરૂપ પરિકલ્પિત કરેલ છે. સર્વજ્ઞના સિદ્ધાંત અનુસાર જીવાદિક પદાર્થોના સ્વરૂપને જે નથી માનતા એવા સર્વજ્ઞ સિદ્ધાંત થી બરિસ્કૃત કુતિથજન ૪ જુમાણ-૪ અમને કુત્સિત જ તની પ્રરૂપણા કરે છે કારણ કે, તેમનું જે કાંઈ પણ કહેવાનું હોય છે તે સતયુકિતયોથી સર્વથા વજીત અને મનથી ઉપજાવી કાઢેલું છે. કિયાવાદીઓનું એવું કહેવાનું છે કે, આત્મા છે તે ખરે, પરંતુ તે એકાન્તથી વિભુ પણ છે, અવિભુપણ છે. કર્તા પણ છે, અકર્તા પણ છે, મૂર્તાિક પણ છે, અમૂતિક પણ છે પરંતુ એવી એ માન્યતાઓ ઠીક નથી. કારણ કે, શરીરમાં આત્માના લિગભૂત ચિતન્યની ઉપલબ્ધિ થવાથી આત્મામાં વ્યાપકતા ઘટિત થતી નથી. - જે કદાચ અહીંયાં એવું કહેવામાં આવે કે, આત્માને અવ્યાપક માનવાથી તેના ગુણભૂત ધર્મ અને અધર્મને પણ અવ્યાપક માન છે પડશે. જે પ્રત્યુત્તરમાં એમ કહેવામાં આવે કે, અમે ધર્માધમ પૂણ્યપાલને પણ અવ્યાપકજ માની લઈશું તો આ પ્રકારનું કહેવું ઉચિત માની શકાતું નથી. કારણકે, દિપાન્તર્ગત જે મણી આદિક પદાર્થ છે તે દેવદત્તના અદષ્ટથી–પુણ્ય-પાપથી આકર્ષાઈને જે તેને પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થઈ શકશે નહિં? કારણકે, દેવદત્તનું અદૃષ્ટત્વ તે અવ્યાપક છે. પછી તેને એની પાસે ખેંચીને કણ લઈ આવશે ? તે આ પ્રકારે અદષ્ટને અવ્યાપક માનવાથી દોષ આપી શકાતું નથી, કારણકે અમે પ્રત્યક્ષથી જોઈએ છીએ કે, ચુંબક લેઢાને જેકે, તેનાથી છેટે હોય છે, જુદા આકારનું હોય છે છતાં તેને પોતાની પાસે ખેંચે છે. ત્યારે આ નિયમ કઈ રીતે માની શકાય કે, અદષ્ટને વ્યાપક માનવાથી જ ભિન્ન પ્રદેશવતિ મણ મુકતાદિકને ખેંચી શકે છે. અન્યથા નહીં. આજ પ્રમાણે આત્માને અવિભૂવ એકાન્તતઃ માનવ એ પણ ઠીક નથી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૩૬
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy