SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ચોઇસવ અધ્યયન-અષ્ટ પ્રવચન માતાઓ કા વર્ણન વીસમા અધ્યાયનને પ્રારંભ ત્રેવીસમું અધ્યયન પુરૂં થઈ ગયું છે. હવે ગ્રેવીસમા અધ્યયનનો પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ પ્રવચનમાતુ છે. તેનો સંબંધ ત્રેવીસમા અધ્યયન સાથે આ પ્રમાણે છે જે પ્રમાણે કેશી ગૌતમે બીજાઓના મનની શંકાઓનું સમાધાન કરેલ છે આ પ્રમાણે સાધુએ પણ બીજાઓના મનની શંકાઓનું સમાધાન કરવુ જોઈએ. પરંતુ એ કામ ભાષા સમિતિ સ્વરૂપ વાગ્યેગના વગર બની શકતું નથી. અને ભાષાસમિતિ શું છે, એ વાત આ અધ્યયનમાં પ્રગટ કરવામાં આવશે. અષ્ટ પ્રવચન માતાના અંતર્ગત આ ભાષા સમિતિ છે. આ અધ્યયનના આ પ્રથમ ગાથા છે. “ગર ઈત્યાદિ ! અન્વયાર્થ–પંચ મિત્રો-નવ મિતાઃ પાંચ સમિતિ અને તે મુત્તર ૩ બાદિય-તિ પુtતરતું ગાથાતા ત્રણ ગુપ્તિ, મ ત ા કટ્ટ पवयणमायाओ आहिया-समितयः तथा गुप्तयः अष्ट प्रवचनमातरः आख्याता: આ આઠ પ્રવચન માતા છે. સર્વજ્ઞના વચન અનુસાર આ આત્માની પ્રવૃત્તિનું નામ સમિતિ છે અકુશળ મન, વચન, અને કાયાના વેગોને નિગ્રહ કરે તથ. કુશળ મન, વચન, અને કાયાના ગેનું ઉદાહરણ કરવું તેનું નામ ગુપ્તિ છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, આ આઠેને પ્રવચન માતા એ માટે કહેવામાં આવે છે કે સહુ દ્વાદશાંગ રૂપ પ્રવચનની જનની છે. કહ્યું પણ છે– एया पवयणमाया दुवालसंग पस्याओ ॥१॥ હવે પાંચ સમિતિનાં નામ કહેવામાં આવે છે–પરિણા” યાદ ! ગમનમાં યત્ના પૂર્વકની પ્રવૃત્તિનું નામ ઈરિયા સમિતિ છે. બોલવામાં યત્ના પૂર્વક અનાદિકની ગવેષણ કરવાની પ્રવૃત્તિનું નામ એષણ સમિતિ છે. પાત્રાદિક ધરવું અને ઉપાડવું તેનું નામ આદાનનિક્ષેપસમિતિ છે. યત્નાપૂર્વક ઉચ્ચાર પ્રસવણના પરિઠાપન કરવાની પ્રવૃત્તિનું નામ ઉચ્ચાર સમિતિ છે. મનની ગુપ્તિ, વચનની ગુપ્તિ, અને કાયાની ગુપ્તિ આ ત્રણ ગુપ્તિઓ છે.પારા “gબા ગટ્ટ ફિગો ઇત્યાદિ ! ઉપયુંકત એ આઠ સમિતિ સંક્ષેપથી અહીં પ્રદર્શિત કરવામાં આવેલ છે. શાસ્ત્રવિધિ અનુસાર આત્માને વેપાર ગુપ્તિઓમાં છે. આ માટે સમિતિ શબ્દથી ગુપ્તિનું પણ અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. આ માટે પાંચ સમિતિને બદલે સૂત્રકારે આઠ સમિતિ એવું કહેલ છે. જ્યાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ પ્રકારથી ભેદ પૂર્વક આનું કથન કરવામાં આવે છે ત્યાં સમિતિમાં પ્રવૃત્તિરૂપતા બતાવવી તથા ગુપ્તિમાં પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપતા બતાવવી સૂત્રકારને ઈષ્ટ જણાય છે એમ સમજવું જોઈએ. આ સમિતિઓમાં જ જીનેન્દ્ર ભગવાન તરફથી પ્રતિ પાદિત દ્વાદશાંગરૂપ પ્રવચન અન્તર્ગત થઈ જાય છે. તાત્પર્ય આનું એ છે કે, આ સમિતિ અને ગુતિ ચારિત્ર રૂ૫ છે, તથા ચારિત્ર જ્ઞાન દર્શન અવિનાભાવી છે. જ્ઞાન દર્શન અને ચારિત્રથી અતિરિક્ત બીજો કોઈ અર્થ દ્વાદશાંગ નથી. આ માટે ચારિત્રરૂપ સમિતિ ગુપ્તિઓમાં પ્રવચન રૂપ દ્વાદશાંગ અંતર્ગત કહેવામાં આવેલ છે. આવા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૯૧
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy