SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવસ્થિત રૂપથી ગેાઠવાઇ ગયા ત્યારે પ્રભુએ મનમાં એવે વિચાર કર્યા કે, સહુથ પહેલાં તને મેકલીને યવનરાજાને એવા સંદેશા મેાકલવા કે, તમેા અહીં થી તમારા સ્થાન ઉપર પાછા ચાલ્યા જાવ જો એ આરીતે ન માને તે મારે ખીજા ઉપાયનું અવલંબન કરવુ જોઇએ. આવા વિચાર કરીને પ્રભુએ યવનરાજની પાસે પેાતાના એક દૂતને માકલ્યા. તે જઈ ને એ મદમાં છેકેલા એવા યવનરાજને કહ્યુ કે, હે રાજન! શ્રી પાર્શ્વ કુમારે મારી સાથે એવુ' કહેવડાવ્યું છે કે, આ પ્રસેનજીત રાજા મારા પિતાના શરણે આવેલ છે આથી તમારે કુશસ્થલપુરના ઘેરા ઉઠાવીને પેાતાના સ્થાને પાછા ચાલ્યા જવું જોઇએ એમાં જ તમારૂં ભલું છે. રાજા પોતે જ તમારા સામના કરવા આવી રહેલ હતા પરંતુ મેં ઘણુ જ વિનયની સાથે તેમને શાંત કરી દીધા છે. અને તમારૂં રક્ષણ કરવાના અભિપ્રાયે હું... આવ્યા છું અને તમાને એવી સમજણ આપું છું કે જો તમે તમારી ભલાઈ ચાહતા હૈ। તે મારા આ સંદેશાને સ ભળતાં જ તમારી સેના સાથે પાછા ચાલ્યા જાવ. દૂતના મુખેથી આ સંદેશે સાંભળીને યવનરાજાએ ક્રોધિત બનીને તેને કહ્યુ, અરે દૂત તું જે કહી રહેલ છે. એ તારૂ કહેવાનું સઘળું નિરર્થક છે. મારી સામે અશ્વસેન તથા પાર્શ્વ કુમારની શુ' ગણત્રી છે. જા અને મારા તરફથી તું તેમને કહી દે કે, અહીંયાં તેમને વધુ સમય રાકાવું નહીં. જો તેઓ મારા કહેવા પછી વધુ સમય રોકાશે તે યાદ રાખો કે, તમારા જીવનનીકુશળતા નથી. આથી જો જીવતા રહેવાની અભિલાષા હોય તે જલદીથી અહીંથી ભાગી જાવ નહીંતર સસૈન્ય અહી જ તમારા નાશ કરવામાં આવશે. યવનરાજાનાં આ પ્રકારનાં અસભ્ય વચન સાંભળીને તે ફરીથી તેમને કહ્યુ કે, હે રાજન ! મારા સ્વામી તે એટલા ભલા છે કે તેઓ અહીંના રાજા પ્રસેનજીત માફક આપનું પણ રક્ષણ કરવા ચાહે છે. આ કારણે તેઓએ આપને સમજાવવા માટે મને મેાકલેલ છે. આપે આપના હૃદયમાં એ સારી રીતે સમજી લેવુ જોઇએ કે, મારા સ્વામી. ઇન્દ્રોથી પણ અજેય છે. આથી આપની આ બડાઈ વાળી વાતામાં કાંઇ સ ર નથી. આ પ્રકારે તમે તેમના પરાક્રમને જાણીને તમારી પેાતાની ભલાઈ માટે અહીંથી પાછા ફરી જાવ નહીંતર તમારે તમારા કરેલા કૃત્યાનું ફળ અવશ્ય ભાગવવું પડશે. જેમ સિહની સામે હરણુ, સૂર્યંની સામે અંધકાર, અગ્નિની સામે પતંગ, સમુદ્રની સામે કીડી, ગરૂડની સામે નાગ, વજ્રની સામે પવ'ત, હાથીની સામે ભેંસ યુદ્ધ કરવામા અસમર્થ છે. તેવી જ રીતે તમેા પણ પાકુમારની સામે યુદ્ધ કરવામાં અસમર્થ છે. આ કારણે હું તમારા જ હિતને માટે સમજાવુ છું કે, તમે આ નકામા યુદ્ધના વ્યવસાયથી શાંત રહે અને જે રીતે આવ્યા છે એ જ રીતે પેાતાના સ્થળે પાછા ચાયા જાવ આ પ્રમાણે દૂત જ્યારે યવનરાજને કહી રહ્યા હતા એ વખતે તેના અનુચર તેને મારવા માટે તૈયાર થઇ ગયા. અનુચાને આ રીતે તૈયાર થયેલા જોઇને યવનરાજાના નીતિકુશળ મત્રીએ તેમને અટકાવતાં કહ્યું' કે, અરે મૂર્ખાઓ ! તમારે। આ વ્યવસાય ચૈગ્ય નથી. કેમકે સદેશે! ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૬૨
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy