SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જીત રાખ્યું. અપરાજીતે ક્રમશઃ આગળ વધતાં બધી કળાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી અને તેણે ક્રમશઃ તરૂણ અવસ્થાને પ્રાપ્ત કરી અપરાજીતની મિત્રતા મંત્રી પુત્ર વિમળખાધની સાથે ઘણીજ ગાઢ રીતે બંધાઈ. જયારે આ એ કુમાર ખેતપેાતાના ઘેાડા ઉપર બેસીન નગરની ખહાર ફરવા ગયા ત્યારે આ ઘેાડાએથી અપહૃત મનીને તે બન્ને જંગલમાં પહેાંચી ગયા. એ સમયે રાજકુમાર અપરાજીતે મત્રા પુત્ર વિમળ બેાધને કહ્યું કે, આ સમયે અશ્વોથી અપહત થઇને આપણે આ જંગલમાં આવી પહોંચ્યા છીયે. આવું ન ખનત તા માતાપિતાની આજ્ઞાને વશવતી એવા આપણને આવુ. સુરમ્ય સ્થાન જોવાનુ ભાગ્ય કઈ રીતે મળી શકત, માતાપિતા આટલા સમય સુધી તે આપણા વિરહના દુ:ખને સહન કરવુ પડશે. આથી સહુથી સારી વાતતા એ છે કે, આપણે આ સમયે ઘેર પાછા ન ફરતાં જુદા જુદા દેશાને જોવા માટે અહીંથી ચાલ્યા જઇએ. વિમળએધે અપરાજીતની આ વાતના જ્યારે સ્વીકાર કર્યાં એ સમયે રક્ષા કરી, રક્ષા કરા” એવું કહે તે કોઈ એક માણસ ત્યાં આવી પહોંચ્યા. એ ભયભીત માણસને જ્યારે રાજકુમારે “ભયથી મુકત થાવ” એવું આશ્વાસન આપ્યું ત્યાં તે તરવારોને હાથમાં ધારણ કરેલ એવા અનેક સશસ્ત્ર સુભટો ત્યાં આવી પહોંચ્યા અને આવતાંની સાથેજ એ બન્ને કુમારીને જોઇને તેમણે કહ્યું કે, આ માણસે અમારા શહેરમાં ચેરી કરી છે જેથી અત્રે તેને મારી નાખવા ઇચ્છીએ છીયે. આપ અમારા કામમાં અતીયભૂત્તુ ન ખના અને જ્યાં જતા હૈ। ત્યા તમારે રસ્તે ચાલ્યા જાવ. તેમની આ પ્રકારની વાત સાંભળીને અપરાજીત કુમારે કહ્યું-અરે તમે શું કહી રહ્યા છે ? શરણે આવેલી આ વ્યકિતને મારવાનું ઇન્દ્રનુ પણ ગજું નથી તેા તમે બીચારાઓનું શું ગજું છે. જ્યારે કુમારે આમ કહ્યું. ત્યારે તે સધળા કુમારને મારવા માટે તત્પર બની ગયા જયારે કુમાર અપરાજીતે તેમની આવી દુષ્પ્રવૃત્તિને જોઈ ત્યારે તેણે એજ સમયે તરવારને મ્યાનથી મહાર કાઢીને અને તેમને નિરૂત્સાહી કરીને પરાજીત બનાવી દીધા. કૌશલેશે જ્યારે પોતાની સેનાના આ પ્રકારના પરાજય સાંભળ્યો ત્યારે તેણે કુમારને પકડવા માટે ઘણા સૈનિકાને મેાકલ્યા. આવેલા સૈનિકોને પણ કુમારે પરાજીત કરીને પાછા હઠાવી દીધા. કેશલેશને જ્યારે મેાકલેલી સેનાને પણ પરાજીત થયાના ખુખર મળ્યા ત્યારે પેાતે જાતે સજ્જીત અનીને મંત્રી સામંત અને સૈન્યની સાથે સેનાપતિની સાથે સેનાને લઇને યુદ્ધ કરવા માટે ત્યાં પહોંચ્યા. જયારે અપરાજીત કુમારને એ વાત ખખર પડી કે, કેશલેશ પાતેજ યુદ્ધ માટે તયાર થઈને આવે છે ત્યારે તેણે તે ચારને પોતાના મિત્ર વિમલધને સોંપીને કેશલેશની સામે યુદ્ધ કરવા તત્પર બની ગયા. કુમારે એકદમ ઉછળીને કાઈ હાથીના દાંત ઉપર ચડી જઇને માવતને નીચે પછાડી દઇને પોતે તે હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યું!. કુમારની આ પ્રકારની સ્થિરતા, શૂરવીરતા તથા યુદ્ધ કરવાની નિપુણુતા જોઇને રાજાને ઘણુંજ આશ્ચય થયું. આ વખતે કાશલ અધિપતિને મંત્રીએ કહ્યું–મહારાજ ! આ આપના ભટે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૦૦
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy