SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આજે આવા પ્રકારના વહેવાર કરત નહીં. આથી મારૂં કર્તવ્ય છે કે, સૌથીપહેલાં હું તેની સાથે ક્ષમાપના કરૂં. પછી ખાકીના બીજા પ્રાણીયાની સાથે આ પ્રકારનું ધ્યાન કરતાં કરતાં તે મુનિરાજ અંતમાં અનશન કરીને દેવલેાકમાં ગયા. અને પાંચમા દેવલાક બ્રહ્મસ્વ`મો ઇન્દ્રની માર્કે દૈવ પર્યાયમાં ઉત્પન્ન થયા મુનિને માણુથી ઘાયલ કરીને પદ્મ જ્યારે પાછા ફરી રહેલ હતા ત્યારે રસ્તામા અચાનક જ કાળા સર્પે તેને કરડી આવે. આથી તે ત્યાંજ મરી ગયે.. અને તમસ્તમા નામની સાતમી પૃથ્વીમાં જઇને નારકીય પર્યાયથી ઉત્પન્ન થયા. ચિત્રગતિને સુમિત્ર સુનિરાજના મૃત્યુના સમાચાર મળતાં તેને એથી ભારે દુઃખ થવું, આ તરફ ખેચર અધિપતિ સૂર નામના રાજાએ પેાતાના પુત્ર ચિત્રગતિને વિવાહિત કરીને રાજયરાને ધારણ કરવામાં સમથ જાણીને દીક્ષા લેવાના વિચાર કર્યાં. અવસર મેળવીને સૂર રાજાએ પોતાની વિચારધારાને કા રૂપમાં મૂકવા માટે ચિત્રગતિને રાજધુરા સેપીને સુદનાચાની પાસે જઇને ઇક્ષા અંગીકાર કરી લીધી. અને ક્રમશઃ મુકિત પદ્મનો લાભ પણ કરી લીધા. પિતાએ સુપ્રત કરેલા રાજ્યનુ... ચિત્રગતતિએ સારી રીતે સંચાલન કર્યુ. આ પ્રકારે વિદ્યાબળથી અલિષ્ટ બનીને આ રીતે તેણે લાંબા સમય સુધી વિદ્યાધરાના ચક્રવતી પણાને લેાગવીને આનંદની સાથે પોતાના સમયને સુંદર રીતે વ્યતીત કર્યો. જ્યારે રાજ્યધુરા ધારણ કરવામાં સહાય ભૂત એવા પ્રભાવશાળી એ સામત પુત્રાના મરણના સમાચાર તેણે સાંભળ્યા. ત્યારે ચિત્રગતિના અંતઃકરણમાં વૈરાગ્યની ભાવના જાગૃત થઈ આથી તે સમયે પોતાના પુત્ર વિક્રમસેનને રાજગાદી સેાંપીને પોતે નવતીની સાથે ક્રમનાચાની પાસેથી મુનિદીક્ષા ધારણ કરી આચાય મહારાજે રત્નવતીને સાધ્વી સુત્રતા પ્રવતીની તેની શિષ્યાના રૂપથી સેાંપી દીધી. ચિત્રગતિએ સારી રીતે વીસ સ્થાનાના વારંવાર સેવનશ્રી સ્થાનકવાસીપણાની આરાધના કરતાં લાંખે! કાળ વિચરણ કર્યુ. અને અંતમાં અનશનથી પ્રાણાનું વિસર્જન કરીને ચેાથા દેવલેાકમા દેવની પર્યાયમાં ઉત્ત્પન્ન થયા આ પ્રારે આ દેવલેાકમાં ગયા. અજ પ્રકારે રત્નવતી સાધ્વી પણ અનશન કરીને ચેાથા દેવલાકમાં દેવનો પર્યાયમાં ઉત્પન્ન થયા આ પ્રકારે આ ધનરાજા અને ધનવતી રાણીના મનુષ્ય અને દેવરૂપ ત્રીજો અને ચાથા ભવ છે. હવે મનુષ્ય અને વરૂપ પાચમા અને છઠ્ઠા ભવનુ વર્ણન આ પ્રકારનું છે—— પશ્ચિમ મહાવિદેહમાં પદ્મસ જ્ઞક નામના વિષયમાં સહપુર નામનુ એક નગર હતું. ત્યાંના રાજાનું નામ હિરનદી અને રાણીનુ નામ પ્રિયદર્શના હતુ' ચિત્રગતિના જીવ ચાથા દેવલાકની પાતાની સ્થિતિને સમાપ્ત કરીને આ પ્રિયદર્શીનાની ફૂખે પુત્રરૂપથી અવતરિત થયા. જયારે ગ`ના પણ સમય થઈ ગયા ત્યારે પ્રિયદર્શનાએ પુત્રરત્નને જન્મ આપ્યા. માતપિતાના ચિત્તમાં ભારે હષ થયા. બન્નેએ મળીને પુત્રના જન્મના ભારે ઉત્સવ મનાવ્યેા. ભારે ઉલ્હાસની સાથે પુત્રનુ નામ અપરા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૦૬
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy