SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત સમ્યગ્ગદર્શન આદિની રક્ષા કરવામાં તત્પર બનેલા એવા જીવ અજીવ આદિ તત્વ જેનાથી જાણી શકાય છે તે વેદ છે. એ વેદના જાણવાવાળા વેદવિત્ કહેવાય છે. જ્યારે “દિવા શિત” એવું પદ રાખવામાં આવે ત્યારે વેદને જાણવાવાળી જે વિદા-બુદ્ધિ-જ્ઞાન જેણે મુગતિમાં પડતી આત્માની રક્ષા કરેલ છે. એવો બીજો અર્થ થાય છે. જે સુનિ આગમ અનુકૂળ સમાચરણુંશીલ હોય છે એનાથી જ આત્માનું રક્ષણ થાય છે. આથી એ વાત સૂચિત બને છે. ભાવાર્થ-જે મુનિ સદનુષ્ઠાનમાં તત્પર રહે છે, આમ્રવથી નિવૃત્ત બને છે, અર્થાત એવું કૃત્ય નથી કરતા કે, જેનાથી તેને નવીન કર્મોને બંધ થાય. આગમન જાણનાર હોય છે. દુર્ગતિથી–પતનના હેતભૂત અપધ્યાન આદિ અનર્થોથી બચતા રહે છે. હેય ઉપાદેયના જ્ઞાનથી જેનું અંતઃકરણ વાસિત રહે છે. આ સઘળા જી મહારા સમાન જ છે એવું જાણીને કોઈને પણ કદી સતાવતા નથી. પરીષહ અને ઉપસર્ગોથી જે કદી ચલાયમાન થતા નથી અને કેઈપણ પદાર્થમાં તેમનું મન લલચાતું નથી એજ ભિક્ષુ છે. ૨ તથા–“ગોસંવ ઈત્યાદિ ! અન્વયાર્થ–સુનિ ગૌરવ-ગારાવધ અસભ્ય વચનરૂપ આક્રોશ અને તાડનારૂપ વધને પોતાના દ્વારા પૂર્વકૃત કર્મનું ફળ વિરૂ-વિવિદ્યા જાણીને ધીરે –રકાર એ સમયે ભ રહિત તેમજ સદનુષ્ઠાનમાં તત્પર જ બની રહે અને ગાયત્ત—ગાત્મક અસંયમ સ્થાનેથી પોતાના આત્માનું રક્ષણ કરતા રહે અને નિમ-ગમના સંયમ તથા તપની આરાધના કરવામાં આવતા પરીષહ અને ઉપસર્ગોથી અનાકુળ મન થઈને તથા ગાદિદે-સંબgg: સત્કાર પુરસ્કારથી સંસ્કૃત અને પુરસ્કૃત થવાથી પણ હર્ષભાવથી રહિત થઈને નિશા-નિરાં વહેત અપ્રતિબંધ વિહાર કરે. વિહારમાં સિM ગહિયાસ– ગયાણી આવતા સઘળા પરીષહ અને ઉપસર્ગોને તે સહે છે. આવી પરિસ્થિતિવાળા જે હોદ-જ મતિ જે મુનિ હોય છે. તે સિવું એ મુનિ જ ભિક્ષુ કહેવાય છે. ભાવાર્થ–આ અધ્યયનમાં સૂત્રકાર ભિક્ષુનાં લક્ષણો બતાવી રહ્યા છે. એમના જ સંબંધથી તેઓ કહે છે કે, જે મુનિરાજ વિહાર કરતા સમયે આક્રોશ અને વધ પરિષહથી ચલિત થતા નથી. પરંતુ “આ આક્રોશ અને વધુ મા પૂર્વકૃત કર્મોએ જ મારી સામે ઉપસ્થિત કરેલ છે. આથી મારે એને મધ્યસ્થભાવથી સહન કરવાં જોઈએ. જે જરા સરખો પણ ચિત્તમાં એનાથી ક્ષોભ ભાવ જાગી જાય તે હું અસંયમ સ્થાનોમાં પતિત બની જઈશ.” એવું સમજીને તેને સહન કરે છે. અને તેમના મનમાં એ વિચાર સદાના માટે બન્યો રહે છે કે, તપ અને સંયમની કસોટી પ્રતિકૂળ સંગમાં જ થાય છે. આથી તપ સંયમની આરાધના કરવામાં મારે જે પરીષહ અને ઉપસર્ગોને સામનો કરે પડે છે તે એનાથી તપ સંયમની દઢતા થાય છે. એનાથી મને ઘણે મેટો લાભ થાય છે. તથા સત્કાર સન્માન મળવા છતાં પણ જેમના ચિત્તમાં થોડો સરખે પણ હર્ષને ભાવ જાગૃત થતું નથી કેમકે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy