SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ એક પેટીમાં બંધ કરીને નદીમાં તે પેટી વહેતી મૂકી દીધી. બીજા ગામમાં નદીના કિનારે ઉભેલા માણસોએ નદીમાં તરતી આવતી પેટીને જોઈ ત્યારે તેને નદીમાંથી બહાર કાઢીને ખેલી તે બન્ને ચેર દબાયા ચોરોને પેટીમાંથી બહાર કાઢીને તેમને પૂછ્યું કે, તમને આ પેટીમાં પુર્યાને કેટલા દિવસ થયા. આ સાભળીને એક રે જવા દીધો આજે ચોથા દિવસ છે. આ વાત સાંભળીને માનિકાએ કનકમંજરીએ પૂછયું, સ્વામીની ! જ્યારે બન્ને ચેર પેટીમાં બંધ હતા તે એમને એ વાત કેમ માલુમ પડી કે, પેટીમાં પુરાયાને ચાર નિવસ થઈ ચૂક્યા છે? કનકમંજરીએ તેને ઉત્તર બીજે દિવસે આપવાનું કહીને પછીથી જઈને સુઈ ગઈ. આથી મદનિકા પણ પોતાના સ્થાને જઈને સુઈ ગઈ. રાજાએ પણ આ કથાને ઉત્તર સાંભળવા માટે પાંચમા દિવસે પણ કનકર્મ કરીને પિતાના શયનભવનમાં આવવાનું કહ્યું. રાત્રીના સમયે મદીનકા સાથે કનકમંજરી શયનભવનમાં પહોંચી. રાજા પણ પાછળથી પહોંચ્યા અને વાતને ભેદ સાંભળવાની અભિલાષાથી રોજની પ્રમાણે સુવાનો ઢોંગ કરીને પલંગમાં પડી રહ્યા. આ પછી રાજાને સુઈ ચેલા જાણને મદનિકાએ કનકમંજરીને વાત આગળ ચલાવવા કહ્યું. ગઈ કાલની અધુરી વાતને પ્રત્યુત્તર આપવાની નેમથી મદનમંજરીએ શરૂઆત કરી. અને ઉત્તર આ પ્રમાણે આપે કે, જે માણસે આ જાણ્યું હતું કે પેટીમાં બંધ થયાને આજે ચોથે દિવસે છે. એને તરીયે તાવ આવતો હતે આનાથી તેણે જાણી લીધું કે, મને આજે તો તાવ આવેલ નથી કાલે આવીને ઉતરી ગયેલ છે. આથી આજે ચોથો દિવસ છે. આ પછી તેણે બીજી કથા કહેવા પ્રારંભ કર્યો. જે આ પ્રમાણે છે, કલીંગ દેશમાં ચંપાપુરી નગરીમાં બળવાહન નામના એક રાજ રહેતા હતા તેને અનેક રાણીઓ હતી. આમાંની એક રાણી રાજાને ખૂબ જ પ્રિય હતી. રાજાએ તેના માટે ખાનગી રીતેથી સુવર્ણનાં આભૂષણે બનાવરાવ્યાં કે જેથી જેની બીજી . રાણીઓને ખબર ન પડે. વાસ્તવિક વાત એ હતી કે, રાજાએ જમીનની અંદરના ભયરામાં સોનીઓને બેસાડયા હતા. એક દિવસની વાત છે કે જ્યારે તેનીઓને કૌતુકવશાત કે ઈને પૂછયું કે અત્યારે દિવસ છે કે રાત છે ? આમાંથી એકે કહ્યું કે રાત્રી છે. આ વાત સાંભળીને મદનિકાએ કહ્યું કે, ભૂમિની અંદર રહેલ આ સેનીએ કઈ રીતે જાણ્યું કે, આ સમય દિવસને બદલે રાત્રીને છે? પૂછવામાં અાવેલ એ વાતને કાલે ઉત્તર આપવાનું કહીને કનકમંજરી સુવા ચાલી ગઈ અને મદનિકા પણ પિતાના સ્થાને જઇને સુઈ ગઈ. આનો ઉત્તર સાંભળવાની ઈચ્છાથી રાજાએ કનકમંજરીને છઠે દિવસે પણ પોતાના શયનગૃહમાં આવવાને અવસર આપ્યો. રાત્રી થતાં જ કનકમંજરી મદનિકા સાથે પહોંચી ગઈ રાજા પણ આવીને સુઈ ગયા. આગલા દિવસની શંકાને ઉત્તર મદનિકાને આપતાં કનકમંજરીએ કહ્યું કે, જે માણસે ભૂમિગૃહમાં રહેતા હોવા છતાં પણ “રાત્રી છે ” એમ જાણ્યું તે રતાંધળે હતો, કનકમંજરીએ આ પછી એક બીજી કથા કહી તે આ પ્રમાણે છે. – સૌવીર દેશમાં સિંધુપુર નામનું એક નગર હતું જ્યાં સુધુન નામના એક ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૧૭
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy