SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચાથા મુરખ હું કઈ રીતે ? કનકમંજરીએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું સાંભળે! હું વૃદ્ધ ચિત્રકાર ચિત્રાંગદની પુત્રી છું. મારૂ નામ કનકમાંજરી છે. આજ પિતાના માટે ભેજન લઇને હું અહી આવી રહી હતી ત્યારે મેં રાજમાગ ઉપર એક ઘેાડેવારને ઘણા વેગથી ઘેાડાને દાડાવતાં જોય, તેને હું પહેલા ન ંબરને મૂખ માનું છું. કેમકે, રાજમાગ સ્ત્રીએ, ખાળકે, વૃદ્ધો વગેરેથી ઉભરાયેલેા જ હાય છે. બુદ્ધિમાન માણુસ આવા રાહદારીના જાહેર રસ્તા ઉપર ઘોડાને કદી વેગથી દોડાવતાં નથી. કેમકે, આવી સ્થિતિમાં અકસ્માત થવાના ભય રહે છે. જે નિર્દય અને મુરખ હોય છે તે જ આવા રાજમાર્ગ ઉપર ઘોડાને વેગથી દાડાવે છે. આ કારણે મેં આવા માણસને પલંગના પ્રથમ પાયા માનેલ છે. અને બીજે પાચે। અહીના રાજા જીતશત્રુ છે. જે બીજાઓની વેદનાને ખીલકુલ સમજતા નથી. જુએ તે ખરા ! ચિત્રકારોના ઘરેની માફક આ ચિત્રશાળાની ભીંતને શેભિત બનાવવાને તેણે આદેશ આપેલ છે. તેને એ આદેશ સમજદારીથી તદન ઉલ્ટા છે. કારણ કે, બીજા ચિત્રકારાના ઘરમાં તે ઘણા ચિત્રકામ કરનારા માણસા છે. પરંતુ મારા પિતા કે, જે અપુત્ર અને નિધન છે, વૃદ્ધાવસ્થાને લઈ આ કામને માટે યાગ્ય નથી કારણ કે, વૃદ્ધાવસ્થાથી તેમનું શરીર તદ્ન નબળુ ખની ગયેલ છે. છતાં પણ આ વાતને વિચાર ન કરીને રાજાએ બીજા ચિત્રકારોની સાથે તેને તેના ભાગે આવતા ભાગને ચિતરવાનુ કામ સેાંપેલ છે. આ માટે રાજાને પલ અને બીજો પાયે માનુ છું. ત્રીજો પાયે મારી દૃષ્ટિમાં મારા પિતા છે. જે વગર વેતને ચિત્રશાળાને ચિતરતાં ચિતરતાં પૂર્વાપાત જે કાઈ દ્રવ્ય છે તેને ખાઈ રહેલ છે. ઉપાર્જન કરી ન શકનારનું દ્રવ્ય કર્યાં સુધી કાન આપવાનુ છે. ? લખું સુકુ જે કાંઇ ખાવાનું ઘરમાં હાય છે તે લઈને જ્યારે હું અહીં આવું છું ત્યારે જ તે ચિત્રનું કામ મૂકીને શૌચાદિ માટે ઉઠે છે. જ્યાં સુધી તે શૌચાદિથી નિવૃત્ત થઇને આવે છે ત્યાં સુધીમાં લાવવામાં આવેલું ભેજન પણ ઠંડુ થઇ જાય છે. ઠંડુ લેાજન રસ વગરનું ખની જાય છે. એ ભલેને ઉત્તમ લેાજન હોય છતાં પણ તે સ્વાદ વગરનું અને રૂક્ષ ખની જાય છે. ઠંડુ બનેલુ' એ બેજન પણુ વિરસ જ બની જાય તેમાં નવાઈ શી ? આથી ગરમ ભાજનને ઠંડુ કરીને ખાનાર એવા મારા પિતા પણ પલંગના ત્રીજા પામે છે. એ પલંગના ચેાથેા પાયા આપ છે. કારણ કે, ચિતરેલા મયૂરનાં પીંછાંને સાચાં માનીને ઉપાડવાની ક્રિયા કરી તે સમયે આપે એટલા પણ વિચાર ન કર્યાં કે માર અહિ આવી શકતે નથી. તે તેનાં પીંછાં સાચારૂપમાં અહીં કઇ રીતે આવી શકે? કારણ કે, જ્યારે માર આવે તે જ એનાં પીંછાં અહીં’ પડે, જો એવી સભાવના કરવામાં આવે કે, મેાર અહીં ન આવે–ભલે ન આવે પરંતુ તેના પીંછાંને તા કાઇ આ સ્થળે જરૂરથી લાવી શકે છે. આથી એ વાત માની શકાય છે, પરંતુ જે ચિત્રાયેલા મયુર પીંછાને સાચુ' માની આપે ઉપાડવાની ચેષ્ટા કરી એ વખતે આપે એટલું તે જોવું જોઇતું હતું કે, તેનાં રૂવાડાં ફરકે છે કે નહીં? આવા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૧૩
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy